નેશનલ

સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર અકસ્માત: ૧૨નાં મોત

મુંબઈ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર મિની બસ ક્ધટેઈનર સાથે અથડાઈ જતા ૧૨ પ્રવાસીનાં મોત થયાં હતાં જ્યારે ૨૩ને ઈજા થઈ હતી. ખાનગી બસમાં ૩૫ પ્રવાસીઓ હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજાપુર વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રિ પછી અડધા કલાકે અકસ્માત થયો હતો.

મિની બસના ડ્રાઈવરે વાહન પર નિયંત્રણ ગુમાવતા મિની બસ ક્ધટેઈનરને પાછળથી અથડાઈ હતી. બાર પ્રવાસીનાં મોત થયાં હતાં. મૃતકોમાં પાંચ પુરુષ, છ મહિલા અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ૨૩ પ્રવાસીને ઈજા થઈ હતી અને તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…