નેશનલ

તામિલનાડુમાં ફટાકડાના ગોદામમાં મોટો વિસ્ફોટ, 7 લોકોના કરૂણ મોત…

તમિલનાડુઃ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના અરિયાપુરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટનાના બની હતી. ફટાકડાના ગોદામમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ બાદ બિલ્ડીંગમાં જોરદાર આગ લાગી હતી, જેને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ચારે બાજુ આગ અને ધુમાડો ફેલાયો છે.

ફટાકડાના ગોદામમાં અચાનક જ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. વિસ્ફોટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી, જેને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે જોરદાર વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ફેક્ટરીમાં કામ કરતા અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. નોંધનીય છે કે આ અગાઉ પણ 04 ઓક્ટોબરે તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લાના તરંગમ્બાડી તાલુકાના થિલાયડી ગામમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી અને વેરહાઉસમાં મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…