નેશનલ

બિહારમાં 63 ટકા પછાત લોકો: સવર્ણો કરતાં મુસ્લિમો વધુ

જૈનો, શીખો અને અન્ય ધર્મ-જાતિના લોકો એક ટકાથી પણ ઓછા

પટણા: બિહારમાં નીતીશ કુમારની સરકારે સોમવારે બહાર પાડેલા જાતિ પર આધારિત વસતિગણતરીના આંકડા મુજબ રાજ્યની કુલ વસતિના 63 ટકા એટલે કે અંદાજે બે-તૃતીયાંશ લોકો અન્ય પછાત જાતિ (અધર બૅકવર્ડ ક્લાસ – ઓબીસી) અને બહુ જ પછાત વર્ગ (ઍક્સ્ટ્રીમ્લિ બૅકવર્ડ ક્લાસ – ઇબીસી)ના છે તેમ જ સવર્ણો (15.52 ટકા) કરતાં મુસ્લિમો (17.70 ટકા)ની વસતિ વધુ છે. અહીં ડેવલપમેન્ટ કમિશનર વિવેક સિંહે બહાર પાડેલા આંકડા મુજબ બિહારની કુલ વસતિ 13.07 કરોડથી થોડી વધુ છે અને તેમાં ઍક્સ્ટ્રીમ્લિ બૅકવર્ડ ક્લાસ – ઇબીસીની ટકાવારી 36 ટકા અને તે પછી અન્ય પછાત જાતિના 27.13 ટકા લોકોનો ક્રમ આવે છે. બિહારમાં અન્ય પછાત વર્ગના લોકોમાં સૌથી વધુ (14.27 ટકા) યાદવ લોકો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પણ આ જ જાતિના છે.
દલિતોને અનુસૂચિત જાતિ પણ કહેવાય છે અને તેઓની ટકાવારી રાજ્યની કુલ વસતિમાં 19.65 ટકા છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિના આશરે 22 લાખ (1.68 ટકા) લોકો છે.
અનામતના લાભ નહિ મેળવતા લોકો એટલે કે સવર્ણ' લોકોનું રાજ્યમાં 1990ના દાયકા સુધી રાજકારણમાં પ્રભુત્વ હતું, પરંતુમંડલ પંચ’ના અહેવાલ બાદ વિવાદ સર્જાયો હતો. રાજ્યમાં સવર્ણ લોકોની વસતિ 15.52 ટકા છે.
આમ છતાં, બિહારની કુલ વસતિમાં 81.99 ટકા હિંદુ અને તે પછીના ક્રમે 17.70 ટકા મુસ્લિમો છે.
જૈનો, શીખો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મ – જાતિના લોકો તેમ જ કોઇ ધર્મને નહિ અનુસરતા લોકોની વસતિ રાજ્યમાં બહુ જ (એક ટકાથી પણ) ઓછી છે.
મુખ્ય પ્રધાન નીતીશ કુમારે જાતિ પર આધારિત વસતિગણતરી કરનારા રાજ્યના સરકારી અધિકારીઓના કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે બધા રાજકીય પક્ષોને વસતિગણતરીના આંકડા ટૂંક સમયમાં પૂરા પડાશે.
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને નાયબ પ્રમુખ તેજસ્વી યાદવે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે કેન્દ્રમાં આગામી સરકાર રચીશું ત્યારે દેશભરમાં જાતિ પર આધારિત વસતિગણતરી કરાવીશું.
બિહારમાં જાતિ પર આધારિત વસતિગણતરીનો આદેશ રાજ્ય સરકારે ગયા વર્ષે આપ્યો હતો, પરંતુ કેન્દ્રમાંની નરેન્દ્ર મોદીની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયની જાતિ પર આધારિત વસતિગણતરી હાલમાં કરાવી નહિ શકીએ.
દેશમાં છેલ્લે 1931માં જાતિ પર આધારિત વસતિગણતરી કરાવાઇ હતી.
બિહાર સરકારે જાતિ પર આધારિત વસતિગણતરી કરવા માટે ગયા વર્ષની બીજી જૂને મંજૂરી આપી હતી અને તેના માટે રૂપિયા 500 કરોડ ફાળવ્યા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ