Arunachal Pradesh માં ભાજપ 44 ને પાર, પ્રચંડ બહુમતીથી બનાવશે સરકાર

નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ફરી એકવાર ભાજપની(BJP) સરકાર બનવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં અરુણાચલની 60 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. 60 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતી છે જ્યારે તે 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. હાલમાં ભાજપને 46 બેઠકો મળતી જણાય છે. હવે સ્પષ્ટ છે કે આ વખતે ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે.
જો નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP)ની વાત કરીએ તો આ પાર્ટીએ 4 સીટો કબજે કરી છે જ્યારે તે 2 સીટો પર આગળ છે. પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (PPA)એ રાજ્યમાં 2 બેઠકો જીતી છે. જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) 1 સીટ જીતી છે અને 2 સીટો પર આગળ ચાલી રહી છે.કોંગ્રેસ આ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ છે. અત્યાર સુધીમાં ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે.
અરુણાચલમાં 10 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા હતા
અરુણાચલની મુક્તો વિધાનસભા ક્ષેત્રમાં મુખ્ય પ્રધાન પેમા ખાંડુ સામે કોઈ ઉમેદવાર ઊભો નહોતો, તેથી આ બેઠક પહેલેથી જ ભાજપ પાસે હતી. તેવી જ રીતે ભાજપના કુલ 10 ધારાસભ્યો છે જેઓ બિનહરીફ ચૂંટાયા છે.
અરુણાચલ વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત
60 સભ્યોની અરુણાચલ વિધાનસભાનો અને વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે.
ભાજપે અરુણાચલના લોકોને આ વચનો આપ્યા
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો. પાર્ટીએ મેનિફેસ્ટોમાં 25,000 યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને દર મહિને 9,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના લોકોને રાજ્યમાં વધુ સારી તબીબી સુવિધાઓ લાવવાનું વચન પણ આપ્યું છે.
Also Read –