નેશનલ

માલી બસ દુર્ઘટનામાં ૩૧નાં મોત

ગમખ્વાર અકસ્માત:આફ્રિકાના માલીમાં આવેલા કેનીએબા શહેરથી બુર્કિના ફાસો જઈ રહેલી બસ પુલ પરથી બાગોએ નદીમાં ખાબકતાં ૩૧ જણ માર્યા ગયા હતા.

બમાકો : માલીના પશ્ર્ચિમના નગર કેનિએબાની નજીક એક બસ પુલ પરથી નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૩૧ જણના મરણ થયા હતા, એવી માહિતી પરિવહન મંત્રાલયે આપી હતી. અકસ્માત સ્થાનિક સમય મુજબ સાંજના પાંચ વાગ્યે બન્યો ત્યારે બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. પશ્ર્ચિમ આફ્રિકાના પેટાવિસ્તારના અને માલીના નાગરિકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પર નિયંત્રણ ગૂમાવ્યું તેનાં કારણે આ અકસ્માત થયો હતો. પશ્ર્ચિમ આફ્રિકામાં રોડ અકસ્માતો વારંવાર થાય છે, જ્યાં જાહેર પરિવહન પર વધુ પડતો બોજો છે અને એનું નિયમન કંગાળ છે.

આ ખંડ પાસે વિશ્ર્વના વાહનોના બે ટકા હોવા છતાં આખા વિશ્ર્વના વાહન અકસ્માતને કારણે થતાં મૃત્યુના ૨૫ ટકા આફ્રિકામાં થાય છે, એવી માહિતી ૨૦૨૩ના સંયુક્ત રાષ્ટ્રસંઘના ડેટામાં અપાઈ હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…