નેશનલ

લોકસભામાં બે તૃતિયાંશ સાંસદોની ગેરહાજરીમાં 3 ક્રિમિનલ લો બિલ રજૂ થયા

નવી દિલ્હી: ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા-2023, ભારતીય સાક્ષ્ય સંહિતા-2023ને આજે લોકસભામાં બે તૃતિયાંશ સાંસદોની ગેરહાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ત્રણેય બિલ આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જગ્યા લેશે.

સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આ સાથે જ લોકસભામાં વિપક્ષના અત્યાર સુધી 95 સાંસદો સસ્પેન્ડ થઇ ચુક્યા છે. સંસદમાં હવે વિપક્ષના એક તૃતીયાંશ સભ્યો રહ્યા છે અને વિપક્ષની તાકાત ઘટી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે ત્રણેય બિલો પર જવાબ આપશે.

કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભામાં વિપક્ષના 102 અને રાજ્યસભામાં વિપક્ષના 94 સાંસદો બચ્યા છે. 141 સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાંથી 57 કોંગ્રેસના છે. જેમાંથી 40 લોકસભાના અને 17 રાજ્યસભાના સાંસદ છે. 4 NCP સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકસભા અને એક સાંસદ રાજ્યસભાના છે. 21 DMK સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 16 લોકસભાના અને 5 રાજ્યસભાના સાંસદ છે.

5 CPI-M સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 સાંસદો લોકસભા અને 3 રાજ્યસભાના છે. 3 સીપીઆઈ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી એક લોકસભા અને 2 રાજ્યસભામાંથી છે. 14 JDU સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લોકસભાના અને 3 રાજ્યસભાના સાંસદ છે. નેશનલ કોન્ફરન્સના -2 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને સાંસદો લોકસભાના છે.

તૃણમૂલ કોંગ્રેસના 21 સાંસદો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 13 લોકસભાના અને 8 રાજ્યસભાના સાંસદ છે. સપાના 4 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાના 2 અને રાજ્યસભાના 2 સાંસદો છે.

BSPના એક લોકસભા સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. RJDના 2 રાજ્યસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના 3 લોકસભા સાંસદો સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના એક લોકસભા સાંસદ, કેરળ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ, JMMના રાજ્યસભા સાંસદને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીસીકેના એક લોકસભા સાંસદ અને આરએસપીના એક લોકસભા સાંસદને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

IPCમાં હાલમાં 511 કલમો છે. તેના સ્થાને ભારતીય ન્યાય સંહિતા લાગુ થયા બાદ તેમાં 356 કલમો રહી જશે. એટલે કે 175 કલમો બદલાશે. ભારતીય ન્યાય સંહિતામાં 8 નવી ધારાઓ જોડવામાં આવી છે, 22 કલમો દૂર કરવામાં આવી છે. તેવી જ રીતે, CrPC એક્ટમાં 533 વિભાગો રહેશે. 160 વિભાગો બદલાશે, 9 નવા ઉમેરવામાં આવશે, 9 સમાપ્ત થશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી સુધી પૂછપરછ કરવાની જોગવાઈ હશે, જે અગાઉ ન હતી.

સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ટ્રાયલ કોર્ટે દરેક નિર્ણય વધુમાં વધુ 3 વર્ષની અંદર આપવાનો રહેશે. દેશમાં 5 કરોડ કેસ પેન્ડિંગ છે. તેમાંથી 4.44 કરોડ કેસ ટ્રાયલ કોર્ટમાં છે. તેવી જ રીતે, જિલ્લા અદાલતોમાં ન્યાયાધીશોની 25,042 જગ્યાઓમાંથી 5,850 જગ્યાઓ ખાલી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે લોકસભામાં ત્રણેય બિલ પર જવાબ આપશે. ત્યારબાદ મતદાન થશે. આ પછી આ બિલોને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ બિલોને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર થતાં જ આ 3 બિલ કાયદો બની જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress