નેશનલ

2 વર્ષ બાદ પુનઃ ચર્ચામાં આવી નૂપુર શર્મા : આજે કર્યુ આ ટ્વીટ….

નવી દિલ્હીઃ મહમદ પેગંબર સાહેબ પર વિવાદિત ટિપ્પણીના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલી નુપુર શર્મા બે વર્ષથી જાણે ભૂગર્ભમાં હોય તેમ ક્યાંય પણ જાહેરમાં દેખાયા ન હતા. પરંતુ આજે નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વડાપ્રધાન પદની શપથવિધિના સમયે ટ્વીટ કરીને ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે.

મહંમદ સાહેબ પર વિવાદિત ટિપ્પણી બાદ એકદમ બંધ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીની પૂર્વ નેતા નુપુર શર્માએ આજે પોતાનું મૌન તોડ્યું છે. રૂપલ શર્માએ બે વર્ષ બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઈ એક ટીપણી કરી છે. નુપુર શર્માએ ત્રીજી વખત મોદી સરકારના બનવા અને પ્રધાનમંત્રી પદના ના શપથ લેવા સમયે ટ્વીટ કર્યું હતું.

નુપુર શર્માએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘આજે ત્રીજી વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને ભારતના પ્રધાનમંત્રી ના રૂપમાં શપથ લેતા જોઈને અત્યંત પ્રસન્નતા થઈ. ફરી એકવાર મોદી સરકાર સુરક્ષિત અને વિકસિત ભારતની તરફ’ આ ટ્વિટમાં ઉપર શર્માએ વડાપ્રધાન પદની શપથ લઇ રહેલા નરેન્દ્ર મોદીની તસવીર શેર કરી હતી.

આજે પહેલી વખત બે વર્ષ બાદ એમણે સોશિયલ મીડિયા પર કંઈક શેર કર્યું હતું. એમણે છેલ્લે 5 જૂન 2022 ના રોજ મોહમ્મદ મોહમ્મદ સાહેબ પર પોતાની ટીપણીને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એમનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો નહીં અને આથી હું મારું નિવેદન પાછું લઉં છું. જોકે 25 મેના રોજ નુપુર શર્માએ દિલ્હી ખાતેથી મતદાન કર્યું હતું, આ સમયે ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તે પોતાનો મત નાખવા પહોંચી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…