આમચી મુંબઈ

“કાર્તિકી એકાદશીએ ફડણવીસને પૂજા નહીં કરવા દઇએ

મરાઠા આંદોલનકારીઓની ચેતવણી

મુંબઇ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગને લઈને ચાલી રહેલું આંદોલન હવે જોર પકડી રહ્યું છે. તેની અસર હવે રાજ્યભરમાં જોવા મળી રહી છે. મરાઠા આરક્ષણની માગ કરી રહેલા દેખાવકારોએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી છે કે જો મરાઠા આરક્ષણની માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ નાયબ મુખ્ય પ્રધાનને કાર્તિકી એકાદશી પર મહાપૂજા કરવા દેશે નહીં.
મરાઠા આરક્ષણની માગને લઈને સમગ્ર રાજ્યમાં આંદોલન ચાલી રહ્યું છે. મરાઠા આરક્ષણની માગને લઈને મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. હવે વિરોધીઓએ નાયબ મુખ્ય પ્રધાનને મોટી ચેતવણી આપી છે.

કાર્તિકી એકાદશી ૨૩ નવેમ્બરે છે. આ દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સત્તાવાર મહાપૂજાનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે વિરોધીઓએ નાયબ મુખ્ય પ્રધાનને આ પૂજામાં હાજરી ન આપવાની ચેતવણી આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત