આમચી મુંબઈ

મધ્ય રેલવે બાદ પશ્ચિમ રેલવેએ પણ પ્રવાસીઓને સુવિધા માટે લીધો આ નિર્ણય…

મૂંબઈમાં એસી લોકલ ટ્રેનોમાં વધતી મુસાફરીને લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા આ ૬ નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિભાગોમાં એસી લોકલ ટ્રેનોમાં સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે લાઇન પર ૧૭ નવી એસી ટ્રેનો શરૂ કર્યા બાદ કુલ ટ્રેનોની સંકયા ૯૬ પહોચી થશે. દહાણુ લોકલ જે અંધેરી સુધી દોડાવવામાં આવતી હતી તેને હવે ચર્ચગેટ સ્ટેશન દોડાવવાનો નિર્ણય રેલ્વે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરવા આવેલી યાદી મુજબ એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની વધારો થયો છે. તેથી, ટ્રેનોમાં થતી ભીડને ઘટાડવા ૧૭ નવી એસી ટ્રેનો દોડાવવામાં આવશે. આ નવી જારી કરેલી ટ્રેનોને સોમવારથી શુક્રવાર સુધી એસી ટ્રેનો તરીકે દોડાવવામાં આવશે અને શનિવાર અને રવિવારે નોન-એસી ટ્રેન તરીકે સેવામાં કાર્યરત રહેશે.


લોકલ ટ્રેનોના સમયમાં કોઈપણ જાતનો કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નંબર DN93004/DN93007 જે હાલમાં દહાણુ રોડ અને અંધેરી સ્ટેશનો વચ્ચે ચલાવવામાં આવી રહી છે તેને ચર્ચગેટ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે જેથી કેટલીક ઉપનગરીય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે વધારાની ૧૭ એસી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે તેમાંથી ૯ સેવાઓ ઉપરની દિશામાં છે અને ૮ ટ્રેનો નીચેની દિશામાં દોડશે. ઉપરની દિશામાં એટ્લે કે નાલાસોપારા-ચર્ચગેટ, વિરાર-બોરીવલી અને ભાયંદર-બોરીવલી વચ્ચે એક-એક ટ્રેન, વિરાર-ચર્ચગેટ વચ્ચે બે ટ્રેનો અને બોરીવલી-ચર્ચગેટ વચ્ચે ચાર એસી ટ્રેનો દોડાવવામાં આવશે. તેમજ નીચેની દિશામાં એટ્લે ર્ચગેટ-ભાઈંદર અને બોરીવલી-વિરાર વચ્ચે એક-એક ટ્રેન, ચર્ચગેટ-વિરાર અને ચર્ચગેટ-બોરીવલી વચ્ચે ત્રણ-ત્રણ ટ્રેનો દોડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત