આમચી મુંબઈ

થાણેમાં ગુરુવારે પાણી બંધ

થાણે: થાણેમાં સિદ્ધેશ્ર્વર પાણીની ટાંકીના ટેક્નિકલ કામ માટે ૧૪ ડિસેમ્બરના શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ૧૨ કલાક માટે બંધ રહેશે. થાણે મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

થાણે નગરપાલિકાની ઉથળસર પ્રભાગ સમિતિ હેઠળ આવતા સિદ્ધેશ્ર્વર વોટરશેડની ઇનલેટ ચેનલનો ૫૦૦ એમએમ વ્યાસનો વાલ્વ બદલવાની જરૂર છે. આ કામગીરી ૧૪મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે અને સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી કુલ ૧૨ કલાક પાણી પુરવઠો બંધ રહેશે. આ શટડાઉનના સમયગાળા દરમિયાન જલકુંભ હેઠળ આવતા સિદ્ધેશ્ર્વર, ઇટરનિટી, જોન્સન, સમતાનગર, દોસ્તી, મ્હાડા, વિવિયાના મોલ અને આકૃતિ વગેરે વિસ્તારોનો પાણી પુરવઠો ૧૨ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી આગામી એક-બે દિવસ પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે તેની નોંધ લેવા નગરપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે.

હજારો પરિવારો આ જળસંકટથી પ્રભાવિત થશે. એવી શક્યતા છે કે સોસાયટીઓ અને હાઉસિંગ કોમ્પ્લેક્ષોએ ટેન્કર પાણીનો ઉપયોગ કરવો પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News