આમચી મુંબઈ

આજે અંધેરી-ગોરેગામ અને કલ્યાણમાં પાણી બંધ

કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ પાણીકાપને કારણે કલ્યાણ ઈસ્ટ-વેસ્ટ, કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં ટિટવાલા, આંબિવલી, વડવલી, શહાડ અને અટાળી વિસ્તારમાં પાણી નહીં આવે. મંગળવારના આખો દિવસ કામ ચાલવાનું હોવાને કારણે બીજા દિવસે આ વિસ્તારમાં ઓછા દબાણથી પાણીપુરવઠો થવાની શક્યતા છે. નાગરિકોને પૂરતો પાણીપુરવઠો કરી રાખવાનું આહ્વાન પણ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આજેે અંધેરી પૂર્વ, અંધેરી પશ્ચિમ, જોગેશ્વરી, ગોરેગાંવ સહિતના કેટલાક વિસ્તારોમાં સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે, એવી માહિતી બીએમસીના અધિકારી દ્વારા આપવામાં આવી છે.

પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંધેરી પૂર્વમાં પાણીની પાઈપલાઈન અને સ્ટ્રક્ચરલ ઓડિટનું કામ ૩૧મી ઓક્ટોબરના રોજ સવારે ૮ થી ૧૧ વાગ્યાની વચ્ચે હાથ ધરવામાં આવશે અને પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં ૧૫ કલાક માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

આ સિવાય અંધેરી ઈસ્ટમાં મહાકાલી કેવ્ઝ નજીક આવેલી રામ્ય જીવન સોસાયટી પાસે નવી ૧૫૦૦ મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન અને ૧૨૦૦ મીમી વ્યાસની પાણીની ચેનલ (વર્સોવા આઉટલેટ)ના જોડાણ સંબંધિત કામ કરવામાં આવશે. આ દરમિયાન વેરાવલી જળાશય ૧ અને ૨ કામ પણ હાથ ધરવામાં આવશે. આ કામ ૩૧મી ઓક્ટોબરના સવારે ૮ વાગ્યે શરૂ થશે અને ૧૧ વાગ્યા સુધી ચાલશે.

આ બધા કામને કારણે અંધેરી પૂર્વમાં ત્રિપાઠી નગર, મુનશી કોલોની, બસ્તીવાલા કમ્પાઉન્ડ, કલેક્ટર કોલોની, દુર્ગા નગર, માતોશ્રી ક્લબ, જોગેશ્વરી (પૂર્વ), સરીપુત નગર, દુર્ગા નગર, જોગેશ્વરી (પૂર્વ), દત્ત હિલ, ઓબેરોય સ્પ્લેન્ડર, કેલ્ટીપાડા, ગણેશ મંદિર (ઉંટકછ), બાંદ્રેકરવાડી, ફ્રાન્સિસવાડી અને મખરાણી પાડામાં પાણીકાપ લાગુ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?