આમચી મુંબઈ

ડોકયાર્ડ રોડમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક રવિવારે સવારના સમયે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા રેલવે સ્ટેશન બહારના વિસ્તારમાં રસ્તા પર પાણી વેડફાઈ ગયું હતું.


ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક વહેલી સવારના ૩૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું અને તેમાથી પાણીનું મોટા પ્રમાણમાં ગળતર થઈ રહ્યું હતું.


પાણીપુરવઠા ખાતાના અધિકારી-કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતુંં. પાઈપલાઈનમાં લીકેજ હોવા છતાં સદનસીબે કોઈ પણ વિસ્તારમાં પાણીપુરવઠાના ફટકો પડ્યો નહોતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ