આમચી મુંબઈ

થાણે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ બાદ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ૧૦ ટકા પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત થાણે પાલિકાએ કરી છે.

મુંબઈ મહાનગરને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીના જથ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ચોમાસામાં સારો વરસાદ પડીને જ્યાં સુધી પાણીની સપાટીમાં વધારો થાય નહીં ત્યાં સુધી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ અમલમાં રહેવાનો છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે મહાનગરપાલિકાને પણ પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં તેણે ૧૦ ટકાનો કાપ મૂકી દીધો છે. તેથી થાણે પાલિકાને પણ તેના વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવો પડ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો