આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન: શરદ પવાર

મુંબઈ: શિવસેના વિધાનસભ્ય અપાત્રતા કેસમાં વિધાનસભા અધ્યક્ષે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ જઈને ચુકાદો આપ્યો હતો એવો દાવો કરતાં શરદ પવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રાજકીય સંગઠનને મહત્વ આપ્યું જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભા પક્ષને મહત્વ આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. પવારે એમ પણ કહ્યું કે તેમને ખાતરી છે કે તેમને ત્યાં ન્યાય મળશે.

એનસીપી પ્રમુખ શરદ પવારે બુધવારે પુણેમાં કહ્યું હતું કે આજના ચુકાદામાં કશું જ આશ્ચર્યજનક નથી. અમે એકબીજાની વચ્ચે ચર્ચા કરતા હતા કે આ પરિણામ ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં નહીં આવે. મુખ્યપ્રધાનને વિશ્વાસ હતો કે પરિણામ તેમની તરફેણમાં આવશે. પવારે એમ પણ કહ્યું હતું કે આજનું પરિણામ શાસક પક્ષ અને તેના વિધાનસભ્યોની આગાહી મુજબ સાચું પડ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે અને આજના ચુકાદા પરથી લાગે છે કે ઉદ્ધવ ઠાકરેને ત્યાં જ ન્યાય મળશે. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતોે કે વિધાનસભા કરતાં પક્ષનું સંગઠન વધુ મહત્વનું છે. પરંતુ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અલગ જ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અનુસાર પક્ષ સંગઠનને વ્હીપનો ઉપયોગ કરવાનો અધિકાર છે એ બાબત પ્રત્યે પવારે ધ્યાન દોર્યું હતું.

વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બંને પક્ષોને લાયક ઠેરવ્યા છે. નાર્વેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયો બદલ્યા છે. ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં જવાનો મોકો છે. પવારે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. પવારે કહ્યું કે આ પરિણામની અમને અસર નહીં થાય. તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ભરત ગોગાવલેને વ્હીપ તરીકે અમાન્ય રાખ્યા હતા, પરંતુ નાર્વેકરે તેમને જ માન્યતા આપી હતી અને તે દૃષ્ટિએ ચુકાદો આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?