આમચી મુંબઈ

વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વિવાદમાં

પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં: માછીમારોની ચેતવણી

મુંબઈ: વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વર્સોવા-વિરાર કિનારે આવેલા કોલીવાડ અને ત્યાંના માછીમારીના વ્યવસાયોને કાયમ માટે વિક્ષેપિત કરશે. દરમિયાન, વર્સોવા – મનોરી વચ્ચેના ૧૧ માછીમાર સંગઠનોએ આ કોસ્ટલ રોડનો વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) માછીમારો અને માછીમારોના સંગઠનોને વિશ્ર્વાસમાં લીધા વિના પ્રોજેક્ટનો અમલ કરી રહી છે. માછીમાર સંગઠનોએ એમએમઆરડીએને ચેતવણી આપી છે કે માત્ર કોસ્ટલ રોડનું કામ જ નહીં પરંતુ સર્વેની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. આથી આ પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
એમએમઆરડીએ દ્વારા ૪૨.૭૫ કિમી લાંબો વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ બાંધવામાં આવશે. એમએમઆરડીએ એ આ પ્રોજેક્ટની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ એમએમઆરડીએ દ્વારા વર્સોવા-વિરાર વચ્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. માછીમારોને કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના, વિશ્ર્વાસમાં લીધા વિના પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે માછીમારોએ સર્વેમાં અવરોધ ઊભો કર્યો હતો અને હાલમાં સર્વે બંધ છે. ભાટી માછીમાર સર્વોદય સહકારી મંડળીના પ્રમુખ રાજીવ ભાટીએ જણાવ્યું કે ૧૧ માછીમાર સંગઠનોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. મત્સ્યોદ્યોગ વિભાગની કોઈપણ પરવાનગી લીધા વિના મઢ, ગોરાઈ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો. આ પ્રોજેક્ટ માટે દરિયામાં કરાયેલી કામગીરીને કારણે માછીમારીના વ્યવસાયને અસર થશે, બોટ લાવવા અને પરિવહન કરવામાં મુશ્કેલી પડશે અને માછલીનું ઉત્પાદન ઘટશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…