આમચી મુંબઈ

વસઈ-ભાયંદર રો રો સર્વિસ મંગળવારથી શરૂ

વસઈ/પાલઘર: વસઈ-ભાયંદર રો રો સેવાની શરૂઆત વિવિધ ટૅક્નિકલ સમસ્યાઓના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિલંબિત થઈ હતી. હવે આમાંથી રસ્તો કાઢીને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ મંગળવારથી આ સેવા શરૂ કરશે. હાલમાં, રો-રો પેસેન્જર સેવા પ્રાયોગિક ધોરણે ઓફર કરવામાં આવશે. ફેરી બોટની ક્ષમતા ૩૩ વાહનો અને ૧૦૦ મુસાફરોની હશે. આ બોટને કેન્દ્ર સરકારની સાગરમાલા યોજનામાંથી પરવાનગી મળી છે અને જેટીનું તમામ કામ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આ સેવા ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. જે બાદ ૧૬ ફેબ્રુઆરીથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ટેકનિકલ
મુશ્કેલીના કારણે સતત બે વખત ઉદ્ઘાટન રદ કરવું પડ્યું હતું. હવે આ સેવા મંગળવાર ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. મેરીટાઇમ બોર્ડે જણાવ્યું હતું કે ફેરીની સલામત અને સરળ સફર, જેટી અને બોટમાંથી મુસાફરો અને વાહનોની સરળ અવન-જાવન અને યોગ્ય નૌકા માર્ગની ખાતરી કર્યા પછી, આ ફેરી સેવાનો ઉદ્ઘાટન સમારંભ ઔપચારિક રીતે કરવામાં આવશે.

વસઈથી ભાયંદર સુધી ટ્રાફિકની ભીડનો સામનો કરી રહેલા રોડ માર્ગે મુસાફરી કરતા લોકોને સમય અને ઈંધણની બચત, પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને આરામદાયક જળ પરિવહન સેવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. આથી મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. માનિક ગુરસાલે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે આ સેવા ચોક્કસપણે લોકો માટે રાહતરૂપ બની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?