આમચી મુંબઈ

પક્ષ બદલવા માટે નાણાકીય લાલચમાં ન ફસાઓ, એક રહો: ઉદ્ધવની પક્ષના કાર્યકરોને હાકલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓને પક્ષ બદલવા માટે નાણાકીય ઓફરોનો પ્રતિકાર કરવા અપીલ કરી હતી અને બીએમસી સહિત આગામી સ્થાનિક અને મહાનગરપાલિકાની ચૂંટણીઓે પહેલાં મુંબઈના હિત માટે એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કોર્પોરેટ હિત માટે પાર્ટીનું શોષણ કરવા માગતા લોકો સામે સાવધ રહેવાની ચેતવણી આપી હતી અને તમામ 227 વોર્ડમાં પાયાના જોડાણોને મજબૂત બનાવવા વિનંતી કરી હતી.

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેમના પક્ષના કાર્યકર્તાઓને સંબોધતી વખતે નાણાકીય ઓફરોનો શિકાર ન બનવા કહ્યું અને તેમને મુંબઈના હિત માટે એક રહેવા અપીલ કરી હતી.

આ ટિપ્પણીઓ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક અને નાગરી સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આવી છે, જે આ વર્ષના અંતમાં યોજાવાની શક્યતા છે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો થયા બાદ જૂન 2022 માં શિવસેનાનું વિભાજન થયું અને પરિણામે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી પડી હતી.

પાર્ટીના એક સૂત્રે રવિવારે મુંબઈમાં સેના (યુબીટી) શાખા પ્રમુખોની બંધ બારણે મળેલી બેઠકને સંબોધિત કરી હતી, એમ પાર્ટીના સૂત્રે જણાવ્યું હતું.
સૂત્રે ઠાકરેને ટાંકીને કહ્યું હતું કે, શાખા પ્રમુખો અને અન્ય નીચલા સ્તરના કાર્યકરો પાર્ટીની મુખ્ય તાકાત છે, અને તેમની એકતા અને તાકાતને કારણે, સંગઠને ભૂતકાળમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જીતી હતી.

‘મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે પાર્ટીમાં એકતા આવશ્યક છે. તમને પક્ષ બદલવા માટે નાણાકીય ઓફર મળી રહી હશે. પૈસા કેટલો સમય માટે ટકી રહેશે? જે લોકો ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને ખતમ કરવા માગે છે તેમના મનમાં ફક્ત વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે. તેઓ મુંબઈને વેચીને કોર્પોરેટ્સને સોંપી દેવા માગે છે,’ એમ સૂત્રે ઠાકરેને ટાંકીને કહ્યું હતું.
‘જે લોકો નાણાકીય લાલચોનો શિકાર બની રહ્યા છે તેઓ સમજી શકતા નથી કે તેમનો ઉપયોગ થઈ રહ્યો છે અને પછીથી તેમને ફેંકી દેવામાં આવશે,’ એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…

આ સૂત્રે એમ પણ જણાવ્યું હતું કે તેમણે શાખા પ્રમુખોને બીએમસીના તમામ 227 વોર્ડમાં લોકો સુધી પહોંચવા, પાયાના નેટવર્કને મજબૂત કરવા અને લોકો સાથે જોડાવા કહ્યું હતું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ રાજ્ય સરકારે મુંબઈ સહિત તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વોર્ડ સીમાંકન માટે આદેશો જારી કર્યા હોવાથી આગામી ત્રણ મહિનામાં ચૂંટણી થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button