આમચી મુંબઈ

રાજ્યના મનમાં જે હશે તે હું કરીશ, મનસે સાથે જોડાણ અંગે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મનસે સાથેની સંભવિત યુતિ બાબતે મહત્ત્વનું નિવેદન કરતાં કહ્યું હતું કે કાર્યકર્તાઓ અને રાજ્યના મનમાં જે હશે તે જ હું કરીશ, પરંતુ આવું ન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
શિવસેના ઠાકરે જૂથ દ્વારા શિવસેનાના 59મા સ્થાપના દિવસ નિમિત્તે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ભાજપની પણ ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે શિવસેના અને મનસેની યુતિ ન થાય તે માટે આપણા વિરોધીઓ પોતાના માલિકના ઈશારે અહીં-ત્યાં હોટેલોમાં મુલાકાતો કરી રહ્યા છે. જો મુંબઈ ફરી મરાઠી લોકોના હાથમાં આવી જાય તો માલિકનું શું થશે એવી ચિંતા તેમને સતાવી રહી છે. તેઓ મરાઠી લોકોને મુંબઈમાં ભેગા થતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈ આપણું છે. જો ઠાકરે બ્રાન્ડનો અંત લાવવા જશે, તો તમારા નામનું એક પણ નિશાન બચશે નહીં, એવા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-એકનાથ શિંદેને ચેતવણી આપી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓના મેળાવડાને સંબોધતાં ભાજપની આકરી ટીકા કરી હતી. ભાજપે રાખેલા દેડકા આજે તમને ડરાવશે. આ પાલતુ દેડકા તમારી નજર સામે આવે છે. હું ખરેખર કહી શકું છું કે આ ચોરોને કોઈ લાજ-શરમ બચી નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

રાજકારણમાં જેમને બાળકો નથી તેઓ આપણી ટીકા કરે છે. ઓહ, તમને બાળકો નથી. અમે શું કરીએ? ભાજપના લોકો આવા છે. આપણે સત્યને કેમ નકારીએ છીએ? તેમને આજ સુધી ક્યારેય બાળકો થયા નથી. તેથી તેમણે અન્ય નેતાઓને સ્વીકારવા જોઈએ અને તેમનો ઉછેર કરવો જોઈએ. કમનસીબે, જે સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા ઉભી કરવામાં આવી હતી. આ તેમનું હિન્દુત્વ છે, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
ચૂંટણી જીતવા માટે, માતાઓ અને બહેનો સાથે કરેલું વચન, લોકો સાથે કરેલું વચન પાળવામાં આવતું નથી. તો પછી તે પક્ષ મારી સાથે કરેલું વચન કેવી રીતે પાળશે. તેઓ કહે છે કે અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાન પદનું કોઈ વચન આપ્યું નહોતું, તો શું માતા અને બહેનને આપેલું વચન સાચું હતું કે નહીં?

કેન્દ્રમાં સરકાર આવી ત્યારથી, બધું ખોટું થઈ રહ્યું છે. મંદિરની છતમાંથી પાણી ટપકતું રહે છે, વિમાન દુર્ઘટના થઈ છે, ટ્રેન અકસ્માત થયો છે, કોઈ જવાબદારી લેતું નથી. મેટ્રોના સ્ટેશનમાં પાણી ભરાય છે. આજે દેશને વડા પ્રધાનની જરૂર છે. ભાજપ પાસે વડા પ્રધાન છે. દેશ પાસે નથી. દેશને ગૃહ પ્રધાનની જરૂર છે. અમિત શાહ નહીં, જેઓ પક્ષને ફોડવામાં વ્યસ્ત છે. દેશને સંરક્ષણ પ્રધાનની જરૂર છે. દેવેન્દ્ર અને રાજનાથ સિંહની નહીં, જે ગુંડાઓને રક્ષણ આપે છે. શું તમે ગુંડાઓ માટે દેશના સંરક્ષણ પ્રધાન છો? શું તમે દેશના ગૃહ પ્રધાન છો કે તમારી પાર્ટીના ચોર પ્રધાન છો, એવા આકરા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતાઓની ટીકા કરી હતી.

હું મોદીને પૂછું છું કે, વડા પ્રધાન માટે કઠોર શબ્દોમાં બોલવું યોગ્ય નથી. જ્યારે વિપક્ષે ઈન્ડી ગઠબંધન બનાવ્યું, ત્યારે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે અમારી તુલના કરવામાં શરમ ન આવી. જો આપણે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા હતા, તો તમે અમારી પાર્ટીના સાંસદોને તમે ન કરેલી બહાદુરીની પ્રશંસા કરવા માટે દુનિયામાં કેમ મોકલ્યા હતા, એવો સવાલ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.

તેઓ તેમને ઓપરેશન સિંદૂર જેવા નામ સારા મળી આવે છે. તેઓ આ સિંદૂર ઘરે ઘરે વહેંચવાના હતા. કોણ વહેંચવાના હતા આ સિંદુર, ભ્રષ્ટ લોકો. આપણી માતાઓ અને બહેનો જેમને જૂતાથી મારવા જોઈએ તેમની પાસેથી સિંદૂર લેશે એવું તેઓ માનતા હતા. હિન્દુત્વની વ્યાખ્યા આપતી વખતે, શિવસેનાના વડાએ કહ્યું હતું કે મારું હિન્દુત્વ રાષ્ટ્રવાદ છે. અમે હિન્દુત્વ સમર્થકો છીએ જે રાષ્ટ્રીય ધર્મનું પાલન કરે છે. અમે આ દેશને અમારો માનીએ છીએ અને તે અમારો છે. જે કોઈ દેશ માટે બલિદાન આપે છે તે આપણું છે એમ તેમણે કહ્યું હતું.

આ સિંદૂર ઘરે ઘરે તે નાલાયક પ્રધાન વિજય શાહ વહેંચશે. તેને તો ખરેખર રસ્તા પર કોરડા મારવા જોઈએ. ભાજપે હજુ પણ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. સેનામાં સોફિયા કુરેશી અમારી બહેન છે. અમને તેના પર ગર્વ થયો છે. તેમણે ભારત અંગે પોતાનો પક્ષ આત્મવિશ્ર્વાસ સાથે રજૂ કર્યો. આ વિજય શાહ પાકિસ્તાનની એ જ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહે છે. આવા નાલાયક બાળકો ભાજપમાં છે. આપણે આ ભાજપ પાસેથી દેશ સુધરવાની આશા રાખીએ છીએ. શું તે દેશને સુધારશે? એવો સવાલ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.

આ પણ વાંચો…પાર્ટીના સ્થાપના દિવસ પર શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસૈનિકોની સરખામણી કપિલ દેવ સાથે કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button