આમચી મુંબઈ

પેગાસસનું નામ બદલીને સંચાર સાથી રાખવામાં આવ્યું, સરકાર લોકોની જાસૂસી કરી રહી છે: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા સંચાર સાથી એપની આકરી ઝાટકણી કાઢતાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે સંચાર સાથી એપ પેગાસસ સ્પાયવેરનું બીજું સંસ્કરણ છે અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે લોકો પર જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહી છે જેમણે તેમને મત આપીને સત્તામાં બેસાડ્યા હતા.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે લોકો પર નજર રાખવાને બદલે, સરકારે આ વર્ષે એપ્રિલમાં પહલગામ હુમલો કેવી રીતે થયો હતો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં 26 લોકોના મોત થયા હતા અને આતંકવાદીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશ કરે છે.

આ પણ વાંચો : બાળા બાદ સરકારની પીછેહઠ! સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ પાછો ખેંચાયો

28 નવેમ્બરે સંદેશાવ્યવહાર મંત્રાલયે બહાર પાડેલા આદેશમાં તમામ મોબાઇલ ફોન ઉત્પાદકોને ભારતમાં વેચાતા તમામ હેન્ડસેટમાં તેમજ હાલના ઉપકરણોમાં સોફ્ટવેર અપડેટ દ્વારા સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો છે.

સંભવિત જાસૂસી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એપનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા વિનિમય કરવામાં આવતા સંદેશાઓ વાંચવા માટે થઈ શકે છે.

આ પણ વાંચો : વિવાદ વચ્ચે સંચાર સાથી એપએ રેકોર્ડ તોડ્યાઃ 24 કલાકમાં એપના ડાઉનલોડમાં 10 ગણો ઉછાળો

‘તમે પેગાસસ (સ્પાયવેર) વિશે સાંભળ્યું હશે. તે ફોન અને જાસૂસીમાં વાયરસ (માલવેર) ઇન્સ્ટોલ કરે છે. તેમણે (સરકારે) પેગાસસનું નામ બદલીને સંચાર સાથી રાખ્યું છે. તેઓ જાસૂસી કરી રહ્યા છે,’ એમ ઠાકરેએ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતા દાવો કર્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button