આમચી મુંબઈ

બોલો, ઉદ્ધવ ઠાકરેએ રાજીવ ગાંધી સરકારના વખાણ કર્યા

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિશે નારાજગી વ્યક્ત કરતા ઉદ્ધવ ઠાકરેએ રાજીવ ગાંધી સરકાર અને બાળાસાહેબ ઠાકરેનો દોર યાદ કર્યો હતો.

એ સમયે કૉંગેસ અને શિવસેના એકબીજાના કટ્ટર હરીફ હતા, પરંતુ બદલાની ભાવનાથી કોઇની વિરુદ્ધ કાર્યવાહી નહીં થતી હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કૉંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ‘સદ્ભાવના દિવસ’ના કાર્યક્રમમાં બોલતા ઉદ્ધવે જણાવ્યું હતું કે શિવસેના અને કૉંગ્રેસ કટ્ટર હરિફ હતા, પરંતુ ક્યારેય બદલાની ભાવના નહોતા રાખતા. બાળાસાહેબ ઠાકરે રાજીવ ગાંધીની આકરી ટીકા કરતા, પરંતુ રાજીવ ગાંધીના શાસન દરમિયાન ક્યારેય કેન્દ્રીય એજન્સીઓએ તેમના બારણે ટકોર આપી નહોતી.

આ પણ વાંચો : આ આઠ નિર્ણયો અમલમાં મૂકી નવભારતનો પાયો નાખ્યો હતો આ નેતાએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરતા ખચકાતા નહોતા. જ્યારે આજની સરકારને મણિપુર અને કાશ્મીરમાં હિંસા થાય છે ત્યારે કોઇ ફરક પડતો નથી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો