આમચી મુંબઈમહારાષ્ટ્ર

છેલ્લા બે અધિવેશનમાં આ મુદ્દો કેમ ન આવ્યો એની નવાઈ લાગે છે: ઉદ્ધવ ઠાકરે

શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ અને આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં દિશા સાલિયાનને મુદ્દે થયેલી ધમાલ પર જણાવ્યું હતું કે મને નવાઈ લાગે છે કે છેલ્લા બે વિધાનસભાના અધિવેશનમાં આ મુદ્દો કેમ ઉપસ્થિત કરાયો નહોતો. દરેક વખતે અધિવેશન આવે એટલે આ મુદ્દો ઉખેળવામાં આવે છે. મારું કહેવું એટલું જ છે કે ખેડૂતોની ચિતા સળગી રહી છે, તેને માટે જવાબદાર કોણ છે? તેમની તપાસનું શું? સંતોષ દેશમુખની હત્યા થઈ છે, તેમની હત્યાનું શું? દિશા સાલિયાનના આકસ્મિક મૃત્યુનું પ્રકરણ કોર્ટમાં ચાલુ છે અને આ સંબંધી જે પુરાવા છે તે અદાલતમાં આપો. તમારી પાસે જે છે તે કોર્ટમાં આપો, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ, Rahul Gandhi 7-8 માર્ચે મુલાકાતે…

તેમણે એમ પણ કહ્યું હતું કે અમારા ખાનદાનની છથી સાત પેઢી લોકોની સામે છે. આ પ્રકરણ સાથે અમારે સ્નાન-સૂતકનો સંબંધ નથી, પરંતુ રાજકારણ ખોટી દિશામાં જ લઈ જવું હોય તો પછી બધાને તકલીફ પડશે. તમે ખોટી ધમાલ કરતા હશો તો કાલે તમારા પર પણ આવી શકે છે, એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button