આમચી મુંબઈ

પરિવારિક પુન:મિલન સંયુક્ત રેલી રાજકીય નસીબને પુનજીર્વિત કરવાનો પ્રયાસ: ભાજપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના ભાજપના નેતાઓએ શનિવારે કહ્યું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેની મુંબઈમાં યોજાયેલી સંયુક્ત રેલી તેમના રાજકીય નસીબને પુનજીર્વિત કરવા અને પાલિકા ચૂંટણીઓ પહેલાં ખોવાયેલી જમીન પાછી મેળવવાનો ‘પ્રયાસ’ હતો અને ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ ‘પરિવારિક પુન:મિલન’ જેવો હતો.

રાજ્યના પ્રધાન આશિષ શેલાર અને ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે આ કાર્યક્રમ અંગે ઠાકરે પિતરાઈ ભાઈઓ પર નિશાન સાધ્યું હતું. ભાજપના મુંબઈ અધ્યક્ષે વરલીના કાર્યક્રમને સેના (યુબીટી) દ્વારા પોતાનો ખોવાયેલો રાજકીય આધાર પાછો મેળવવા માટેનો એક ભયંકર પ્રયાસ ગણાવ્યો હતો.

આપણ વાંચો: “બંને ભાઈ સાથે આવે છે તો…” ઉદ્ધવ અને રાજ ઠાકરેના ભેગા થવાની અટકળો પર શું બોલ્યા NCPના સુપ્રિયા સુળે?

‘આ ભાષા પ્રેમ માટેની રેલી નહોતી, પરંતુ એક વખત ઘરમાંથી કાઢી મુકાયેલા ભાઈનું જાહેરમાં તુષ્ટિકરણ હતું. તેમણે કહ્યું હતું કે, પાલિકાની ચૂંટણીમાં ભાજપની તાકાતના ડરથી તેમને ભાઈની યાદ આવી ગઈ છે. ઠાકરે પરિવાર શહેરમાં પોતાનું કુશાસન ફરી શરૂ કરવા માટે બીએમસી પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરે પર મરાઠી ભાષા પરના તેમના વલણમાં બેવડા વલણનો આરોપ લગાવ્યો.

‘મરાઠીના સમર્થનના આડમાં ઉદ્ધવ ઠાકરેએ વરલીમાં સત્તા ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો, પરંતુ તેમણે એ સમજાવ્યું નથી કે 2022માં મુખ્ય પ્રધાન તરીકે, તેમણે પહેલા ધોરણથી હિન્દી ફરજિયાત કરવાની ભલામણ કરતો અહેવાલ કેમ સ્વીકાર્યો હતો,’ એમ બાવનકુળેએ એક્સ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…

ભાજપના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનો વાસ્તવિક એજન્ડા મરાઠી માટે ‘મ’ નહીં, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ‘મ’ હતો. ‘મુંબઈમાં સત્તામાં હતા ત્યારે, તેમણે મરાઠીભાષી લોકોને બાજુ પર રાખ્યા હતા. હવે, તેઓ સત્તા પાછી મેળવવા માટે મરાઠી પ્રત્યે પ્રેમનો દેખાવ કરી રહ્યા છે.

મરાઠી પ્રત્યેનો તેમનો પ્રેમ એક રાજકીય નાટક છે જે ચૂંટણી નજીક આવે ત્યારે જ બહાર આવે છે. લોકો હવે આ બેવડાપણામાંથી પસાર થઈ ગયા છે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. દરેકરે એવો દાવો કર્યો હતો કે રેલી સ્પષ્ટ રાજકીય હેતુથી બોલાવવામાં આવી હતી.

‘રાજ ઠાકરે મુખ્યત્વે મરાઠી ભાષાના મુદ્દા પર બોલ્યા હતા અને અગાઉના આરોપો સામે પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેનો સ્વર લાચારીનો હતો. સત્તા ગુમાવવા બદલ તેમનો અફસોસ સ્પષ્ટ હતો,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: ભાષા વિવાદ: રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે, મરાઠીઓને કરી આ અપીલ

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવેમ્બર 2024માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મરાઠી લોકોએ ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને પોતાનો ટેકો બતાવી દીધો હતો.

‘શું પાકિસ્તાનીઓએ અમને મત આપ્યો?… મરાઠી મતદારોએ મહાયુતિને પ્રચંડ જનાદેશ આપ્યો હતો. મુંબઈમાં પણ ભાજપ, શિવસેના અને એનસીપીના સના મલિક મરાઠી લોકોના સમર્થનથી જીત્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું.

પક્ષના ધ્વજ અને ખાસ આમંત્રણો અંગે મંચ પર મૂંઝવણ હતી, જે સાબિત કરે છે કે તે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ગણતરીપૂર્વકનો રાજકીય કાર્યક્રમ હતો. તેમણે જાણવા માંગ્યું કે ઠાકરે સત્તામાં હતા ત્યારે કેટલા મરાઠી બિલ્ડરોને ફાયદો થયો હતો. દરેકરે મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ભાજપના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આપણ વાંચો: ‘કહેવું સહેલું, કરવું મુશ્કેલ’: ઉદ્ધવ-રાજ ઠાકરેના પુન:મિલનની ચર્ચાઓ વેગ પકડી રહી છે, શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓ સાવધ નિવેદન આપે છે

‘ફડણવીસ જ કેન્દ્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સતત ચર્ચા કરતા રહ્યા હતા જેમણે મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો હતો. આ વાત ભૂલવી ન જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

ઉદ્ધવના આરોપ પર કે ભાજપ તેના સાથી પક્ષોનો ઉપયોગ કર્યા પછી તેમનો ત્યાગ કરે છે, દરેકરે વળતો જવાબ આપતા કહ્યું કે તે સેના (યુબીટી)ના વડા હતા જેમણે પોતે જ પોતાના નેતાઓનો ત્યાગ કર્યો હતો.

‘(અવિભાજિત) શિવસેનાને બીએમસીમાં મેયર બનાવવાની મંજૂરી ભાજપે આપી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જ હતા જેમણે નારાયણ રાણે, છગન ભુજબળ, રામદાસ કદમ, ગણેશ નાઈક અને રાજ ઠાકરે જેવા સેનાના નેતાઓ સાથે ઉપયોગ કરો અને ફેંકી દોની નીતિનો ઉપયોગ કર્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.

‘વિરોધની આડમાં, જો ભાષા, જાતિ અથવા ધર્મના આધારે વિભાજન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો તેને ટાળવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું. જોકે, ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે સમાધાનકારી ટિપ્પણી કરી હતી.

‘જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવી રહ્યા છે, તો તે સારી વાત છે. તેમને અમારી શુભેચ્છાઓ છે. બંને ભાઈઓએ એક થવું જોઈએ અને એક રહેવું જોઈએ. જો જરૂરી હોય તો, બંને પક્ષોએ વિલીન થવાનું પણ વિચારવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button