આમચી મુંબઈ

ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને ઇઓડબ્લ્યુનું તેડું

મુંબઈ: મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિગ (ઇઓડબ્લ્યુ) શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવ્યા છે. દેસાઈને ૫ માર્ચે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તાજેતરમાં શિવસેના (શિંદે જૂથ) દ્વારા શિવસેના યુબીટી વિરુદ્ધ આર્થિક ગુના વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચે તેમને વાસ્તવિક શિવસેના જાહેર કર્યા હોવા છતાં, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી દ્વારા પાર્ટી ફંડમાંથી અંદાજે ૫૦ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. હવે આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે જે બેંક એકાઉન્ટમાંથી આ પૈસા ઉપાડવામાં આવ્યા હતા તે કોણ ઓપરેટ કરે છે. ઇઓડબ્લ્યુએ આવકવેરા વિભાગને પત્ર લખીને માહિતી માંગી છે કે ચૂંટણી પંચના નિર્ણય પછી શિવસેના (શિંદે જૂથ) પાર્ટીનો ટેક્સ કોણ ચૂકવે છે. અનિલ દેસાઈને માતોશ્રીની નજીકના નેતા માનવામાં આવે છે અને આ વખતે તેઓ મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક પરથી શિવસેનાના સંભવિત ઉમેદવાર છે. આ મામલે હવે રાજકીય માહોલ ગરમ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…