આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે શુક્રવારે તેમના પક્ષના જિલ્લા એકમના પ્રમુખોને મળ્યા અને આ વર્ષના અંતે મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

29 મહાનગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાશે જેના માટે વોર્ડ સીમાંકન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તેમજ 32 જિલ્લા પરિષદો (ઝેડપી), 336 પંચાયત સમિતિઓ અને 248 નગર પાલિકાની પણ ચૂંટણી થવાની છે.

ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખોને ગ્રાસરુટ કેડરને એકત્ર કરવા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા એકમના પ્રમુખોને પણ મતદાર યાદી સુધારણા અને વોર્ડ સીમાંકન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા જણાવવામાં આવ્યું હતું, એવી માહિતી શિવસેના (યુબીટી)ના સિનિયર નેતા અનિલ પરબે આપી હતી.

સિનિયર નેતા અને લોકસભાના ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉતે જણાવ્યું હતું કે જિલ્લા એકમના વડાઓ ઉપરાંત બેઠકમાં હાજર રહેલા લોકોમાં રાજ્યભરના જિલ્લા ‘સંપર્ક પ્રમુખો’ અને અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.

‘કાર્યકરોને લાગે છે કે આપણે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા લડવી જોઈએ. ઉદ્ધવજી આ મુદ્દા પર અંતિમ નિર્ણય લેશે,’ એમ પણ વિનાયક રાઉતે જણાવ્યું હતું.

પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઠાકરેએ જિલ્લા સ્તરના નેતાઓને સ્થાનિક સ્તરે સમાન વિચારધારા ધરાવતા જૂથો સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાની છૂટ આપી હતી.

‘ભાજપથી ડરશો નહીં. સુનિશ્ર્ચિત કરો કે તમે એવું કશું ન કરો જેનાથી ભાજપ અને તેના સાથી પક્ષોને ફાયદો થાય. આપણે તેમને હરાવી શકીએ છીએ,’ એમ આ સૂત્રએ ઠાકરેને ટાંકીને કહ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…

શુક્રવારે વહેલી સવારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો રાજ્યમાં આગામી પાલિકા ચૂંટણીઓ સાથે મળીને લડવા પર ચર્ચા કરશે.

એમવીએમાં એનસીપી (એસપી), ઠાકરેની શિવસેના (યુબીટી) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button