આમચી મુંબઈ

આવતીકાલે આ કારણે રહેશે Mumbai Local Trainના ધાંધિયા, બહાર નીકળતાં પહેલાં…

મુંબઈઃ દર રવિવારની જેમ જ આ રવિવારે એટલે કે 23મી જૂનના પણ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ સહિતના મહત્ત્વના કામ હાથ ધરાવવાના હોઈ મધ્ય રેલવે, હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવે એમ ત્રણેય લાઈન પર મેગા બ્લોક (Mega Block On Railway) હાથ ધરવામાં આવશે. પરિણામે જો પરિવાર કે મિત્રો સાથે મોન્સૂનમાં મુંબઈ દર્શન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લો.

મધ્ય રેલવે (Central Railway) પર સીએસએમટી- વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન (Mega Block On CSMT-Vidhyavihar Up-Down Slow Line) પર સવારે 11થી બપોરે ચાર વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર જ હોલ્ટ લેશે.

આ પણ વાંચો: મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે

હાર્બર લાઈન (Harbour Line) પર સવારે 11.30 કલાકથી સાંજે પાંચ વાગ્ય સુધી સીએસએમટી-વડાલા,બેલાપુર, પનવેલ અપ-ડાઉન લાઈન (Mega Block On CSMT-Wadala, Belapur, Panvel Up- Down Slow Line) પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ રૂટ પર ટ્રેનવ્યવહાર બંધ રહેશે.

પશ્ચિમ રેલવેમાં હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી સીએસએમટી- ગોરેગાંવ-બાંદ્રા અપ-ડાઉન લાઈન (CSMT-Goregaon, Bandra Up-Down Slow Line) પર મેગા બ્લોક હાથ ધરાવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન આ રૂટ પર તમામ ટ્રેનો રદ કરવામાં આવશે.

આ પણ વાંચો: રેલવે મુસાફરોને રાહત : કોરોનાકાળમાં બંધ થયેલી અમદાવાદ ડિવિઝનની 38 ટ્રેન થશે શરૂ

બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વડાલાથી કુર્લા, પનવેલ, વાશી માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન ટ્રાન્સ-હાર્બર લાઈન પર સ્પેશિયલ ટ્રે્નો દોડાવવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ