આમચી મુંબઈ

આજે મોદી મહારાષ્ટ્રમાં: વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે

મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા મોદી દિલ્હીથી નાશિક જશે.

નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં કોલાબા સ્થિત નેવી એરબેઝ આઈએનએસ શિકરા પર ઉતરશે, ત્યારબાદ એમટીએચએલનું ઉદ્ઘાટન કરશે.
ઉપરાંત, રેગ્યુલર પ્રોટોકોલથી અલગ અલગ જગ્યાએ પાર્ટીના કાર્યકરોને મળી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું
હતું.

મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એક અંડરગ્રાઉન્ડ રોડ ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ત્યાર બાદ સી-વુડ-બેલાપુર-ઉરણ ઉપનગરીય રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ બંને મહત્વના પ્રોજેક્ટ મોદી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ૨)નું ઉદ્ઘાટન કરશે. આ લિંકને હવે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.
પ્રોટોકોલમાં થોડો ફેરફાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુક્રવારના મહારાષ્ટ્રના કાર્યક્રમ માટે એક નવો પ્રોટોકોલ બનાવ્યો છે. પરંપરાગત પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત વહીવટી અધિકારીઓને મળે છે, પરંતુ આ વખતે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભા અને સાંસદોને મળવાને બદલે વડા પ્રધાન મોદી છ અલગ અલગ જગ્યાએ દસ-દસના ગ્રુપમાં કુલ ૬૦ જેટલા કાર્યકરોને મળશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્ય પ્રધાન બનાવનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ પણ વધારશે.

સીવુડ્સ-બેલાપુર-ઉરણ ચોથી લાઇન (બીજો તબક્કો)ને લીલી ઝંડી
મોદી મધ્ય રેલવેના ચોથા કોરિડોર તરીકે ઓળખાતી ૧૪.૩ કિમીની આ લાઇન પર ટ્રેનસેવાને લીલી ઝંડી આપશે. ૧,૭૮૨ કરોડનો આ પ્રોજેક્ટ બે દાયકાથી વધુ જૂનો છે. આ લાઇન ખારકોપર અને ઉરણને જોડે છે. મોદીના સીધા નિરીક્ષણ હેઠળ આવતા પ્રગતિ પોર્ટલ પર પણ તેને સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. આ લાઈન પૂર્ણ થવાથી દક્ષિણ મુંબઈ અને ઉરણ વચ્ચેનું અંતર અડધું ઘટી જશે. આ ઉપરાંત, નવા એરપોર્ટની આસપાસની અને ઉલ્વે ખાતેની ટાઉનશીપને પણ ફાયદો થશે.

ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ લિંકનો શિલાન્યાસ
મોદી આ ૯.૨૩ કિમી કનેક્ટરનો શિલાન્યાસ કરશે, જેમાં ૬.૫૧ કિમી ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે. ૮,૫૦૦ કરોડના પ્રોજેક્ટમાં ચાર લેન (૨+૨) અને બે ઇમરજન્સી લેન હશે. આ લિંક બે છેડા વચ્ચેના ટ્રાવેલિંગ ટાઈમ ૩૦થી ૪૦ મિનિટથી ઘટાડીને ૮થી ૧૦ મિનિટ કરશે. આ ટનલ જ્યારે તૈયાર થઇ જશે ત્યારે ૬.૫૧ કિ.મી.ની ટનલ શહેરનો સૌથી લાંબો અંડરગ્રાઉન્ડ રોડ બનશે.
સૂર્યા વોટર સપ્લાય પ્રોજેક્ટ
મોદી ૮૮ ટકા પૂર્ણ થયેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે પાલઘર જિલ્લામાં વસઈ-વિરાર, મીરા-ભાઈંદર અને ૪૪ ગામની તરસ છીપાવશે. આ યોજનામાં ૪૦૩ એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેત્તી ગામના સૂર્યનગર ખાતે ઊભો કરવામાં આવ્યો છે.

દિઘા સ્ટેશનનું ઉદ્ઘાટન
મોદી દિઘા સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ ઐરોલી અને કલવા વચ્ચે આયોજિત એલિવેટેડ કોરિડોરનો એક ભાગ છે. આ કોરિડોર અને દિઘા સ્ટેશનની જાહેરાત ૨૦૧૪માં કરવામાં આવી હતી અને ૨૦૧૬માં મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જમીનની અનુપલબ્ધતાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો.

નવી મુંબઈ મેટ્રો લાઈન-૧
નવી મુંબઈ મેટ્રો લાઈન-૧ દેશને સમર્પિત કરશે. બેલાપુર અને પેંઢાર વચ્ચેની ૧૧.૧ કિમી લાઈનનો ખર્ચ ૩,૦૬૩ કરોડ રૂપિયા છે. જોકે, તેને ૧૮ નવેમ્બરના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. ૧૩ વર્ષથી આ લાઇનનું બાંધકામ ચાલી રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો