આમચી મુંબઈ

ગોખલે પુલનુંં કામ રેલવેને કારણે અટવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પૂલનો એક તરફનો હિસ્સો દિવાળી સુધીમાં ખુલ્લો મુકાય એવી શક્યતા નહીંવત જણાઈ રહી છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ગર્ડર નાખવા માટે બ્લોક આપવામાં થઈ રહેલા વિલંબને કારણે પુલ માટે ગર્ડર નાખવાનું કામ પણ અટવાઈ ગયું છે.

ગોખલે પુલના પહેલા ગર્ડર નાખવાથી લઈને પુલના અન્ય કામમાં વિલંબ થઈ રહ્યો હોવાની સ્થાનિક રહેવાસીઓ સહિત આ ગોખલે પુલનો ઉપયોગ કરનારા વાહનચાલકો સતત કરી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગર પાલિકાના ઈકબાલસિંહ ચહલે સોમવારે ગોખલે પુલની સાઈટની મુલાકાત લીધી હતી, એ બાદ તેમણે રેલવે પ્રશાસન સાથે ૨૭ ઑક્ટોબર, ૨૦૨૩ રોજ સંયુક્ત બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે એવું કહ્યું હતું. હાલ અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ રેલવે ફલાયઓવરનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી લગભગ ૧,૩૦૦ ટન વજનનો પહેલો ગર્ડર જોડવાનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. પ્રોજેક્ટ સ્થળે લગભગ ૨૫ મીટર ઊંચાઈ પર છૂટા ભાગોની જોડણી કરીને આ ગર્ડર તૈયાર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. તેને હવે રેલવે પાટા ઉપર ૧૦૦મીટર અંતર પર આગલ લઈ જવાનું અને ત્યારબાદ ઉત્તરમાં લગભગ સાડા તેર મીટર સરકાવાનું અને ત્યારબાદ સાડા સાત મીટર અંતર નીચે લાવવાનું આ ટેક્નિકલ દ્દષ્ટિએ પડકારજનક કામ કરવાનું બાકી છે ગર્ડરનું વજન તેને બેસાડવા માટેના અંતર જેવા ટેક્નિકલ કારણથી રેલવે સાથે સમન્વય સાધવાનું અને ટાઈમટેબલ મુજબ કામ પાર પાડવામાં પાલિકાને અડચણ આવી રહી હોવાનું કહેવાય છે.

રેલવે દ્વારા બ્લોક આપવામાં થઈ રહેલા વિલંબ અને કામ અટવાઈ રહ્યું હોવાની ફરિયાદને પગલે સોમવારે કમિશનરે સાઈટની મુલાકાત લીધા બાદ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી, સલાહકાર, કૉન્ટ્રેક્ટર સાથે ચર્ચા કરીને કામની પ્રગતીનો અહેવાલ લીધો હતો.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…