આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાંદેડ મુદ્દે બોમ્બે હાઇકોર્ટે શિંદે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

'દવાઓ અને સ્ટાફની અછત જેવા કારણો સ્વીકાર્ય નહિ'

બોમ્બે હાઈકોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે સુઓ મોટો લઇ મહારાષ્ટ્ર સરકાર પાસે બનાવની વિગતો રજૂ કરતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ જનરલ બિરેન્દ્ર સરાફને શુક્રવારે આરોગ્ય માટે રાજ્યના બજેટની ફાળવણી અંગેની વિગતો બેંચને સબમિટ કરવા જણાવ્યું હતું.

વકીલ મોહિત ખન્નાએ બેન્ચ સમક્ષ સમગ્ર મામલાની સુઓ મોટો નોંધ લેવા કોર્ટને વિનંતી કરતો પત્ર રજૂ કર્યો હતો. બેન્ચ દ્વારા વકીલ મોહિત ખન્નાને એક અરજી દાખલ કરવા નિર્દેશ કરાયો હતો અને જણાવાયું હતું કે તે અસરકારક આદેશ જાહેર કરવા માંગે છે. વકીલ મોહિત ખન્નાને હોસ્પિટલોમાં ખાલી બેડ, દવાની ઉપલબ્ધતા, સરકાર કેટલી ટકાવારીમાં ભંડોળમાંથી ખર્ચ કરી રહી છે વગેરે માહિતી એકત્ર કરવા પણ કહ્યું હતું.


જો કે, બપોરના સત્રમાં કોર્ટમાં ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લઈ રહી છે અને તેમણે નોંધ્યું છે કે હોસ્પિટલોમાં પથારી, સ્ટાફ અને આવશ્યક દવાઓની અછતના તબીબો દ્વારા આપવામાં આવેલા કારણોને સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટ કહ્યું કે આ મામલે શુક્રવારે સુનાવણી યોજાશે.


વકીલ મોહિત ખન્નાએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે 48 કલાકની અંદર નાંદેડની ડૉ શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શિશુઓ સહિત 31 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં પણ સરકારી હોસ્પિટલમાં 2 અને 3 ઓક્ટોબરે બાળકો સહિત 18 દર્દીઓના મોતની ઘટનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની સરકારે નાંદેડની હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુની ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, અને વિગતવાર તપાસ પછી યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમણે દવાઓ અને સ્ટાફની અછત હોવાનો ઇનકાર કર્યો હતો

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત