આમચી મુંબઈ

થાણેમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની પાણીપુરવઠા યોજના હેઠળની પાણીની પાઈપલાઈનમાં સમારકામ કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગપાલિકાના અમુક વિસ્તારમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ પાઈપલાઈનના સમારકામને પગલે કલવા, મુંબ્રા, દિવા અને થાણ શહેરના અમુક વિસ્તારમાં શુક્રવારે ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. બંધને કારણે આગામી એકથી બે દિવસ સુધી પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે.

આ પણ વાંચો : થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે

મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી મળનારા ૧૩૫ મિ.લિ પાણીપુરવઠાનું નિયોજન કલવા, મુંબ્રા, દિવા અને થાણેના અમુક વિસ્તારમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પાણીપુરવઠા યોજના અંતર્ગત બારવી ગુરુત્વ પાઈપલાઈનના કટાઈ નાકાથી શીળ ટાકી ખાતે તાત્કાલિક સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આ વિસ્તારમાં ગુરુવાર, ૨૭ જૂનના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર, ૨૮ જૂનના રાતના ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો