થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ | મુંબઈ સમાચાર

થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણેઃ છેલ્લા થોડા દિવસથી ભાતસા બંધમાં થઈ રહેલી અતિવૃષ્ટિને કારણે થાણે પાલિકાના પિસે પંપિંગ સ્ટેશન પાસેના નદીના પટમાં મોટા પ્રમાણમાં કાદવ, કચરો અને ઝાડની ફાંદીઓ જમા થઈ ગઈ છે. તેથી સતત બે દિવસથી પૂર્ણ ક્ષમતાએ પંપિંગ કરવામાં અવરોધ આવી રહ્યા છે. પાણીના શુદ્ધીકરણ પ્રક્રિયા પર અસર થઈ રહી હોવાથી થાણે શહેરના થનારો પાણીપુરવઠો ઓછો થઈ ગયો છે. થાણેમાં હજી બે દિવસ અપૂરતા પ્રમાણમાં પાણીપુરવઠો થશે. આ સમય દરમ્યાન નાગરિકોને પાણી ઉકાળીને અને કરકસરપૂર્વક વાપરવાની થાણે પાલિકાએ અપીલ કરી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button