આમચી મુંબઈ
થાણેમાં નાગલાબંદરમાં અનધિકૃત બાંધકામને તોડી પડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ઘોડબંદર પર નાગલાબંદર ખાડી કિનારે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલાા કમર્શિયલ ગાળા, રહેણાંક બાંધકામ તેમ જ ખાવા-પીવાના સ્ટોલને થાણે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ નાગલાબંદર ખાડી કિનારા પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હતા. અનેક વખત ચેતવ્યા બાદ પણ સંબંધિતોએ તેમના બાંધકામ હટાવ્યા નહોતા. તેથી થાણે પાલિકાના કમિશનર સૌરભ રાવના નિર્દેશ બાદ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અગાઉ અહીં અનધિકૃત રીતે ઊભા થઈ ગયેલા ઘરોમાં રહેતા લોકોનું ભાયંદર પાડામાં પુનર્વસન કરવામાં આવ્યું હતું.