આમચી મુંબઈ

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની મુશ્કેલી વધી, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે સંભાળી કમાન…

મુંબઈ : અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપની કંપની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમજ કંપની હાલ પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહી છે. ત્યારે હવે આ સ્થિતિમાં ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે પોતે એર ઈન્ડિયાના રોજિંદા સંચાલનની જવાબદારી લીધી છે. એન. ચંદ્રશેખર હાલમાં સુરક્ષા સમીક્ષા, સંવેદનશીલ સરકારી સંબંધો, ફ્લાઇટ જાળવણી તેમજ કર્મચારીઓ માટે કામ કરી રહ્યા છે.

ચંદ્રશેખરન વર્તમાન સમયે જરૂરી તાત્કાલિક પગલાં લઈ શકે
આ અંગે મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ હવે એન. ચંદ્રશેખરન સાથે નિયમનકારી બાબતો અને વ્યૂહાત્મક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. ટાટા સાથેના તેમના અનુભવને જોતાં ચંદ્રશેખરન વર્તમાન સમયે જરૂરી તાત્કાલિક પગલાં લઈ શકે છે.

એર ઇન્ડિયાને ખાસ ધ્યાન આપવાની જરૂર છે
ગ્રુપ અધિકારીઓ માને છે કે એર ઇન્ડિયા પર હાલ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમનું કહેવું છે કે એન. ચંદ્રશેખરન અગાઉ એરલાઇન હેડક્વાર્ટરથી કામ કરી ચૂક્યા છે. ત્યારે જે રીતે ઉડ્ડયન કંપની પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે તે ફક્ત ગ્રુપના ચેરમેન જ આ કામ કરી શકે છે. અધિકારીઓ માને છે કે આ સમયે એર ઇન્ડિયાની પ્રતિષ્ઠા ફરીથી બનાવવાની અને લોકોનો વિશ્વાસ જીતવાની ખૂબ જરૂર છે.

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આમાં 12 ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ તમામ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપમાં જ્યારે પણ કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ટાટા ચેરમેને પોતે તેને સંભાળી છે. જેમાં વર્ષ 1989માં જ્યારે ટાટા સ્ટીલમાં આગ લાગી હતી. ત્યારે જે.આર.ડી. ટાટાએ પોતે જવાબદારી સંભાળી હતી અને સમગ્ર પરિસ્થિતિનું નેતૃત્વ કર્યું હતું.

કટોકટીના સમયે ટાટા ચેરમેને જવાબદારી સંભાળી હતી
26 નવેમ્બરે મુંબઈમાં તાજ હોટેલ પર હુમલો હોય કે ટાટા ફાઇનાન્સમાં કૌભાંડ રતન ટાટા દરેક વખતે ટાટા ચેરમેન તરીકે આગળ આવ્યા હતા. ટીસીએસમાં કામ કરતી વખતે એન. ચંદ્રશેખરન કટોકટીને દૂર કરવા માટે યોગ્ય નિર્ણય લેવા માટે પણ જાણીતા છે.

આપણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના પરિજનોને સહાય આપવાનું શરૂ, ટાટા ગ્રુપે કરી હતી સહાયની જાહેરાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button