શિવાજીની પ્રતિમા જમ્મુ - કાશ્મીરમાં સ્થાપના માટે રવાના | મુંબઈ સમાચાર

શિવાજીની પ્રતિમા જમ્મુ – કાશ્મીરમાં સ્થાપના માટે રવાના

મુંબઈ: જમ્મુ – કાશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રવાના કરી હતી.
રાજ ભવન દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કુપવાડા ખાતે રાષ્ટ્રીય રાઈફલ્સ
૪૧ મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટને સોંપવામાં આવશે. બિન સરકારી સંસ્થા ’આમ્હી પુણેકર ફાઉન્ડેશન’ના આગ્રહથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. (પીટીઆઈ)

Back to top button