આમચી મુંબઈ

દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્ય કેસમાં હવે મહારાષ્ટ્ર સરકારે વિરોધી પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની તપાસ માટે એસઆઇટી નિમણૂક કરવાનો ફેસલો લીધો છે. આદિત્ય ઠાકરેની તપાસ કરવા માટેની આ એસઆઇટી ટીમનું નેતૃત્વ મુંબઈ સ્પેશિયલ પોલીસ કમિશ્નર દેવેન ભારતીને આપવામાં આવે એવું સૂત્રોએ માહિતી આપી હતી. દિશા સાલિયાનની મોત તેના ઘરમાં લપસી જવાથી થયું હોવાનું પોલીસમાં સામે આવ્યું હતું પણ આ મામલો વિવાદોમાં ઘેરાતા આ મામલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિયાળુ સત્રમાં આ મામલે એસઆઇટી તપાસનો આદેશ આપ્યો હતો.

મુંબઈ સ્પેશિયલ પોલીસ કમિશ્નર દેવેન ભારતીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકની એક વ્યક્તિ છે. રાજયમાં સત્તા પલટ થયા બાદ ૨૦૨૩માં તેમની મુંબઈના પહેલા વિશેષ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. દેવેન ભારતીએ તેમની પૂર્ણ કારકિર્દીમાથી ૨૯ વર્ષ સુધી મુંબઈમાં સેવા આપી છે. મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં કસાબને સજા અપાવવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?