મહાપરિનિર્વાણ દિવસે બસ અને ટ્રેનની વિશેષ વ્યવસ્થા | મુંબઈ સમાચાર

મહાપરિનિર્વાણ દિવસે બસ અને ટ્રેનની વિશેષ વ્યવસ્થા

મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને બેસ્ટ વહીવટીતંત્ર દ્વારા અનુયાયીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બેસ્ટ પ્રશાસને ચૈત્યભૂમિ સહિતના મુખ્ય સ્થળોએ લાઇટની વ્યવસ્થા કરવા સાથે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. બેસ્ટ પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ બાબાસાહેબના 67માં મહાપરિનિર્વાણ દિવસે પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરે શિવાજી પાર્ક, ચૈત્યભૂમિ દાદર ચોપાટી, રાજગૃહ, દાદાસાહેબ ફાળકે માર્ગ, આંબેડકર કોલેજ, વડાલા, મેડમ કામા માર્ગ, મેયર બંગલો, જ્ઞાનેશ્ર્વર, યુ. બાજી પ્રભુ ઉદ્યાન વગેરે સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તે સુનિશ્ર્ચિત કરવા માટે કે કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે કર્મચારીઓને 24 કલાક તહેનાત કરવામાં આવશે. ઉચ્ચ દબાણ અને ઓછા દબાણના વીજ પુરવઠા માટે એન્જિનિયરોની અનામત ટુકડી તૈનાત કરવામાં આવશે. ચૈત્ય ભૂમિ અને શિવાજી પાર્કમાં જે સંસ્થાઓના મંડપ અને તંબુઓને પાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી છે તેમને રાજ્ય નિયમનકારી આયોગ દ્વારા નિર્ધારિત દરે કામચલાઉ વીજળી જોડાણો આપવામાં આવશે. આ માટે વિન્ડો સ્કીમ ગોઠવવામાં આવી છે.

Back to top button