આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં ગુરુ-શુક્રવારે ૧૯ કલાક પાણીપુરવઠો બંધ


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં જી-ઉત્તર વોર્ડમાં સેનાપતિ બાપટ માર્ગ પર આવેલી ૧,૪૫૦ વ્યાસની તાનસા (પૂર્વ) મેઈન લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરૂવારે-શુક્રવારે ૧૯ કલાક માટે દક્ષિણ મુંબઈના દાદર, વરલી, પરેલ, પ્રભાદેવી જેવા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

સુધરાઈના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ગુરુવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રાતના ૧૦ વાગ્યાથી શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના સાંજના પાંચ વાગ્યા સુધી પાઈપલાઈનનું સમારકામ કરાશે. તેથી સમારકામ દરમિયાન દાદર, વરલી, પરેલ, પ્રભાદેવી જેવા વિસ્તારોમાં આ સમય દરમિયાન પાણીપુરવઠો બંધ રહેશે, જેમાં મુખ્યત્યવે જી-દક્ષિણ વોર્ડના કરી રોડ, સખારામ બાળા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, લોઅર પરેલ, ડિલાઈલ રોડ, બી.ડી.ડી. ચાળ, એન.એમ. જોશી માર્ગ, બી.ડી.ડી. ચાલ, પ્રભાદેવી, આદર્શન નગર, મરાઠે માર્ગ, પાંડુરંગ બધકર માર્ગ, જી-ઉત્તર વોર્ડનાં સેનાપતિ બાપટ માર્ગ, એન.એમ. જોશી માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, વીર સાવરકર માર્ગ, ગોખલે માર્ગ, કાકાસાહેબ ગાડગિળ માર્ગ, સયાની માર્ગ, ભવાની શંકર માર્ગમાં પાણીપુરવઠો બંધ રહેશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…