મુંબઈના ૭૦૦ ચો.ફૂટ સુધીના ઘરોને પ્રોપર્ટી ટેક્સ માફ કરો: શિવસેના (યુબીટી)…

શિવસેના (યુબીટી)ના વિધાન સભ્ય અજય ચૌધરીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી છે કે સરકારે મુંબઈના 700 ચોરસ ફૂટ સુધીના ઘરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ. મુંબઈકરોને 500 ચોરસ ફૂટ સુધીના પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હવે તેઓએ સરકાર પાસે 700 ચોરસ ફૂટ સુધીનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ તેવી માગણી કરી છે.
આ પણ વાંચો : વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી
દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ તેમણે આ અંગે નિવેદન આપ્યું છે.
વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને અજય ચૌધરીએ મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો અને રહેણાંક પ્લોટ પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે જેથી મરાઠી લોકો મુંબઈમાં રહી શકે અને મુંબઈમાં તેમના મકાનો વેચીને વિસ્થાપિત ન થવું પડે. હવે અજય ચૌધરીએ આ મર્યાદા વધારીને 700 ચોરસ ફૂટ કરવાની માંગણી કરી છે.
હાલમાં મુંબઈમાં જૂની ચાલી અને મ્હાડાની ઈમારતોના પુનઃવિકાસથી 550 થી 650 ચોરસ ફૂટના મકાનો મળશે. અભ્યુદય નગરમાં પણ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 650 ચોરસ ફૂટથી વધુના ઘરની દરખાસ્ત છે. અહીં રહેતા મરાઠી લોકોની ટકાવારી વધુ છે. તેઓ પ્રોપર્ટી ટેક્સ ચૂકવી શકતા નથી. અજય ચૌધરીએ કહ્યું છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 700 ચોરસ ફૂટના મકાનોનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જરૂરી છે.