આમચી મુંબઈ
શરદ પવારની પાર્ટી પાંચમી જુલાઈના મોરચામાં સહભાગી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)એ શુક્રવારે કહ્યું હતું કે તેઓ પાંચમી જુલાઈના રોજ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ‘લાદવા’ના નિર્ણયના વિરોધમાં આયોજિત કૂચને ટેકો આપશે.
સોશ્યલ મીડિયા પર ખુલ્લા પત્રમાં એનસીપી (એસપી)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રના લોકો અને પ્રાદેશિક હિતની તરફેણમાં ઊભી રહેશે.
જ્યારે મહારાષ્ટ્રના હિતની વાત આવશે ત્યારે અમે મહારાષ્ટ્ર સાથે છીએ. જ્યારે રાષ્ટ્રહિતની વાત આવશે ત્યારે અમે રાષ્ટ્રની સાથે છીએ.
તેમણે આ મુદ્દાને ભાષાકીય અને પ્રાદેશિક ઓળખનો મુુદ્દો ગણાવતાં પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં પાંચમી જુલાઈની કૂચમાં સહભાગી થવા જણાવ્યું હતું.