આમચી મુંબઈ

શક્તિપીઠ એક્સપ્રેસવે પર પુનર્વિચાર કરો, મહારાષ્ટ્રના નાણાકીય ખર્ચ પર ભાર પડશે: સુળે…

મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને 86,300 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે તેનાથી ‘પહેલેથી જ ખાલી’ થઈ ગયેલા રાજ્યના ખજાના પર બોજ પડશે.

બારામતીના લોકસભા સાંસદે હાઇ-સ્પીડ કેરેજવે માટે લોનની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો હતો. સુળેએ કહ્યું કે લોકો એક્સપ્રેસ-વેનો વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે નવા રસ્તાની કોઈ જરૂર નથી કારણ કે હાલના કોરિડોરને અપગ્રેડ કરી શકાય છે.ચૂંટણીઓ આવશે અને જશે, પરંતુ રાજ્યની નાણાકીય સ્થિતિ સ્થિર થવામાં વર્ષો લાગશે. તે મહેનતુ મરાઠી લોકોનું નુકસાન હશે, એમ એનસીપી (એસપી)ના નેતાએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button