સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯ની ચૂંટણી પછી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ પહેલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને બાદમાં શરદ પવાર સહિત મહાવિકાસ વિકાસ સંગઠનના સાથીઓએ ગંદી રમત રમી હોવાનો દાવો શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કર્યો હતો. “ભાજપે શિવસેના સાથે મુખ્ય પ્રધાનનું પદ વહેંચવાનું વચન પૂરું કર્યું નહીં, તેથી જ એકનાથ શિંદેએ સરકારનું નેતૃત્વ કરવાની તક ગુમાવી,” રાઉતે જણાવ્યું.
Also read : ‘મહાયુતિ’માં ખટપટ અંગે શિંદેએ તોડ્યું મૌનઃ કોઈ કોલ્ડ વોર નહીં પણ…
ઠાકરેએ ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પછી મુખ્યપ્રધાન પદ માટે ભાજપ સાથેનું પક્ષનું જોડાણ તોડી નાખ્યું અને કોંગ્રેસ અને અવિભાજિત એનસીપી સાથે મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું. “શિંદે મુખ્યપ્રધાન બનવા માંગતા હતા, પરંતુ એમવીએના ટોચના નેતાઓએ તેમના હેઠળ કામ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ તેમનાથી જુનિયર હતા,” રાઉતે આગળ જણાવ્યું હતું.
Also read : રોશનીથી ઝળહળશે મરીન ડ્રાઇવ, BMCએ બનાવી યોજના
બાદમાં શિંદેએ જૂન ૨૦૨૨ માં શિવસેનાને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી. તેઓ હવે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં અજિત પવાર સાથે નાયબ મુખ્ય પ્રધાન છે. શિંદેએ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું હતું કે મુખ્ય પ્રધાન પદના આકર્ષણને કારણે શિવસેનાનું વિભાજન થયું. “સાથીદારો સાથે નોકર જેવું વર્તન કરવાથી કોઈ પાર્ટી વિકાસ કરી શકતી નથી.”