આમચી મુંબઈ

રાઉતે ઓપરેશન સિંદૂર માટે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું કે કોઈ પણ પક્ષ કે સરકારે તેનો શ્રેય ન લેવું જોઈએ…

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળ કરવા માટે સશસ્ત્ર દળોને શ્રેય આપ્યું હતું અને કહ્યું હતું કે રાજકીય લાભ માટે તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરનારાઓ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે અન્યાય કરશે. સંજય રાઉતે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ભારતીય સશસ્ત્ર દળોના સૌથી મોટા હુમલાઓમાંનું એક હતું અને તેને ફક્ત શરૂઆત તરીકે વર્ણવ્યું હતું.

સશસ્ત્ર દળોએ પહલગામ હુમલાનો બદલો લીધો છે, એમ તેમણે કહ્યું હતું.
‘વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)એ હુમલાની જવાબદારી (સશસ્ત્ર દળોને) સોંપી હતી. પુલવામા જેવું રાજકારણ ન થવું જોઈએ જે પીએમ અને ભાજપે કર્યું હતું. અમે ચેતવણી આપી રહ્યા છીએ અને આખો દેશ જોઈ રહ્યો છે કે તેઓ તેના પર રાજકારણ કરશે. સંપૂર્ણ શ્રેય ભારતીય સેનાનું છે. જો કોઈ પક્ષ કે કોઈપણ સરકાર તેનું રાજકીય શ્રેય લેવાનો પ્રયાસ કરશે તો તમે મૃતકો સાથે અન્યાય કરશો,’ એમ તેમણે કહ્યું હતું.

બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુખ્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં એરફોર્સે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવો પડશે.
‘આજ રાતે પીઓકેમાં કરવામાં આવેલા સચોટ હુમલાઓ આતંકવાદ વિરુદ્ધ છે, અને આતંકવાદને આશ્રય આપવામાં આવી રહ્યો હતો તે સ્થળોએ ચોક્કસ રીતે હુમલો કરવા બદલ ભારતીય સંરક્ષણ દળોને અભિનંદન. તેમને એટલો સખત માર મારવો કે આતંકવાદ ફરી ક્યારેય માથું ન ઉંચકી શકે,’ એમ આદિત્ય ઠાકરેએ એક્સ પર કહ્યું હતું.

આપણ વાંચો : શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button