ફડણવીસે ભૂલી જવું જોઈએ કે તેઓ મુખ્ય પ્રધાન છે, સંજય રાઉતે શિંદે પિતા-પુત્ર, સુમિત ફેસિલિટીઝની તપાસ કરવાની માગણી | મુંબઈ સમાચાર

ફડણવીસે ભૂલી જવું જોઈએ કે તેઓ મુખ્ય પ્રધાન છે, સંજય રાઉતે શિંદે પિતા-પુત્ર, સુમિત ફેસિલિટીઝની તપાસ કરવાની માગણી

ફડણવીસને ભ્રષ્ટ મંત્રીઓના પ્રધાનમંડળને બરતરફ કરવા જણાવ્યું: એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે પર અમિત સાલુંખેની સુમિત ફેસિલિટીઝ કંપનીને ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ લગાવ્યો છે અને એસઆઈટી તપાસની માગણી કરી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એવી સલાહ આપી હતી કે આખા પ્રધાનમંડળને બરતરફ કરીને તેને નવેસરથી બનાવવું જરૂરી છે. તમારા પ્રધાનમંડળમાં એવા પ્રધાનો છે જે ભ્રષ્ટ છે, જેમની સામે ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધાયેલા છે, જેઓ લેડીઝ બાર અને ડાન્સ બાર ચલાવે છે. આવી સ્થિતિમાં એ ગંભીર બાબત છે કે તમે મુંબઈથી દિલ્હી સુધી નૈતિકતાની વાત કરી રહ્યા છો, એમ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું હતું.

ઝારખંડમાં 450 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં ઉદ્યોગપતિ અમિત સાલુંખેની ધરપકડ કરવામાં આવી છે. તેમની રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ છત્તીસગઢમાં પણ સાલુંખેની ધરપકડ કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, તે સમયે સાલુંખેનો દારૂ કૌભાંડનો એકમાત્ર કેસ ઢંકાઈ ગયો હતો. હવે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે આ કેસમાં ફસાયેલા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે સાલુંખે અને શિંદે વચ્ચે સીધો સંબંધ છે.

આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું

અમિત સાલુંખે સુમિત ફેસિલિટીઝ નામની કંપની ચલાવે છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે કૌભાંડમાંથી આ કંપનીને મળેલા કાળા નાણાંને શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા ફેરવવામાં આવી રહ્યા છે. શિંદે જ્યારે મુખ્ય પ્રધાન હતા, ત્યારે સાલુંખેની સુમિત ફેસિલિટીઝ કંપનીને ઘણા મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મળ્યા હતા. શિંદેની આ કંપની પર ખાસ મહેર હતી. સંજય રાઉતે સ્પષ્ટપણે એવો આરોપ લગાવ્યો હતો કે કંપનીને કોન્ટ્રાક્ટ દ્વારા મળેલા પૈસા શ્રીકાંત શિંદે ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવ્યા હતા.

‘રાજ્યમાં અમિત સાલુંખે અને સુમિત ફેસિલિટીઝનો મુદ્દો ચાલી રહ્યો છે અને દેવેન્દ્ર ફડણવીસ અને તેમની સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. નહીંતર, એક દિવસ ઝારખંડ પોલીસ આવીને કોઈ પ્રધાન કે સાંસદની ધરપકડ કરશે અને તેમને લઈ જશે. આ એક ગંભીર બાબત છે. સુમિત ફેસિલિટીઝનો મુદ્દો એટલો સરળ નથી જેટલો લાગે છે. આ મહારાષ્ટ્રનું સૌથી મોટું કૌભાંડ છે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.

આ પણ વાંચો: સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી

શિંદે પિતા અને પુત્ર અમિત સાલુંખેની કંપની, સુમિત ફેસિલિટીઝને ગેરકાયદે મોટા કોન્ટ્રાક્ટ આપવા માટે જવાબદાર છે. 800 કરોડ રૂપિયાના ટેન્ડર અને 108 એમ્બ્યુલન્સ કેસમાં કૌભાંડ બહાર આવ્યું છે. શિંદે પિતા અને પુત્રે ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાં સુમિત ફેસિલિટીઝને કેવી રીતે મદદ કરી? એકનાથ શિંદે અને તેમના પુત્રએ કલ્યાણ-ડોંબિવલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ સુમિત ફેસિલિટીઝને 850 કરોડ રૂપિયામાં ગેરકાયદે આપ્યો હતો, એવો આક્ષેપ રાઉત દ્વારા કરવામાં આવ્યો હતો.

‘ફડણવીસે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 850 કરોડનો ઘન કચરા વ્યવસ્થાપન કરાર કોના ખાતામાં ગયો અને તેનાથી મળેલા ફાયદા કોના ખાતામાં ગયા તે જોવા માટે એસઆઈટી બનાવવી જોઈએ. તેમને એસઆઈટી બનાવવાનો શોખ છે,’ એમ રાઉતે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button