મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેમની આગેવાની હેઠળની શિવસેના, અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું શાસક ગઠબંધન આગામી સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યમાં જીત મેળવશે અને લોકસભાની 48માંથી ઓછામાં ઓછી 45 બેઠકો જીતશે.
તેમણે અહીં એરપોર્ટ પર પત્રકારોને આ વાત કહી હતી. એનસીપી કોન્ફરન્સમાં જ્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નિવેદન વિશે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટી બારામતી બેઠક અને પુણે જિલ્લાની કેટલીક અન્ય બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે, ત્યારે શિંદેએ કહ્યું કે પવાર એમ પણ કહેતા હતા કે ત્રણેય પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે.
“મહાયુતિ (મહાગઠબંધન) લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડશે અને અમે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 45 થી વધુ બેઠકો જીતીશું,” એમ સીએમ શિંદેએ સ્પષ્ટપણે કહ્યું હતું. અન્ય એક પ્રશ્નના જવાબમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તે ખેડૂતોને ખેતરોમાં નિરીક્ષણ અહેવાલ અથવા ‘પંચનામુ’ તૈયાર થયા બાદ વળતર આપવામાં આવશે.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે