આમચી મુંબઈમહારાષ્ટ્ર

રવિવારે મધ્ય-હાર્બર રેલવે લાઇનમાં બ્લોક…

મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ ટેક્નિકલ અને એન્જિનિયરિંગ કામો હાથ ધરવામાં આવનાર હોવાથી બ્લોક લેવામાં આવ્યો છે. માટુંગા અને મુલુંડ વચ્ચે સ્લો ટ્રેકની અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ બ્લોક હશે. બ્લોક દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચેની ધીમી લોકલ ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. આ લોકલ સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર રુકશે, જ્યારે વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ, નાહૂર સ્ટેશન પર લોકલ સેવા ઉપલબ્ધ નહીં હોય.

આ પણ વાંચો : મુંબઈ ફરી આતંકવાદીઓની રડાર પર! આતંકવાદી હુમલાના એલર્ટ બાદ પોલીસ એલર્ટ પર

હાર્બર લાઇનમાં કુર્લા-વાશી દરમિયાન અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૧૦થી બપોરે ૪.૧૦ કલાક સુધી બ્લોક હશે. બ્લોક દરમિયાન સીએસએમટી-વાશી/બેલાપુર/પનવેલ અપ અને ડાઉન લોકલ રદ કરવામાં આવશે, જ્યારે સીએસએમટી-કુર્લા અને કુર્લા-પનવેલ/વાશી દરમિયાન વિશેષ લોકલ દોડાવવામાં આવશે. હાર્બર લાઇનના પ્રવાસીઓને સવારે ૧૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી થાણે-વાશી/નેરુળ સ્ટેશનથી પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ