આમચી મુંબઈ

આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનને મેઈન્ટેઈન કરવા માટે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવે છે અને દિવાળીના વેકેશનને કારણે જો તમે પણ મુંબઈદર્શન કરવા માટે નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે આવતીકાલે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવશે.

મધ્ય રેલવે પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.

હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે સવારે 11.40 કલાકે બપોરે 4.40 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. સીએસએમટી-વડાલાથી રવાના થનારી વાશી-બેલાપુર-પનવેલ માટે રવાના થનારી લોકલ રદ્દ રહેશે અને પનવેલ-બેલાપુર-વાશીથી સીએસએમટી માટે રવાના થનારી લોકલ ટ્રેન રદ રહેશે.

બ્લોકના સમયગાળા દરમિયાન પનવેલ-કુર્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત હાર્બર લાઈન પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી મેન લાઈન અને હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત