આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે હાઇવે પર બે એસટી બસની ટક્કર, બે નાં મોત, ૬૪ ઘાયલ…

પુણે: રાજ્યના પુણે-સોલાપુર હાઇવે પર બે એસટી બસની ટક્કરમાં બે જણનાં મોત અને ૬૪ જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ ઘટના પુણે જિલ્લાના વર્વન્દ ગામ નજીક સોમવારે સાંજે પાંચ વાગ્યે બની હતી.

આ પણ વાંચો : પ્રદૂષણ થશે તો બાંધકામ બંધ થઇ જશે, BMC આક્રમક

પુણે જતી એસટી બસ સોલાપુર જઇ રહેલી એસટી બસ સાથે ટકરાઇ હતી. પુણે જતી બસની સામે અચાનકથી એક ટુ-વ્હીલર આવી હતી અને તેની સાથે બસ ટકરાઇ નહીં એ માટે ડ્રાઇવરે બીજી તરફ બસ વાળી હતી જ્યાં વિરુદ્ધ દિશા તરફથી આવી રહેલી બસ સાથે ટક્કર થઇ હતી, એમ પોલીસ ઇન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચો : નવી મુંબઈના અનાથાશ્રમમાં સગીરા પર બળાત્કાર: ચાર સામે ગુનો

બન્ને બસમાં ૧૧૦થી વધુ પ્રવાસી હતા. બે પ્રવાસીનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. અન્ય ૬૪ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button