આમચી મુંબઈ

મિલકતને લઇ વિવાદ થતાં પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો

થાણે: થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં મિલકતને લઇ વિવાદ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો હતો.

શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રામનગર વિસ્તારમાં 14 ઑગસ્ટે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ રંજિત સરોજ તરીકે થઇ હતી.

આ પણ વાંચો : થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર

રંજિતનો તેના પિતા વિજયપ્રકાશ (53) સાથે મિલકતને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. 14 ઑગસ્ટે પણ પિતા-પુત્ર વચ્ચે વિવાદ થયો હતો. એ સમયે રંજિત દારૂના નશામાં હતો અને તેણે રોષે ભરાઇને પિતાના અંગૂઠાના ભાગને કરડી ખાધો હતો.

ઘવાયેલા વિજયપ્રકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે રંજિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી રંજિતની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?