રામમંદિર પર હુમલાની માહિતીથી પોલીસ ઍલર્ટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રામમંદિર પર હુમલાની માહિતીથી પોલીસ ઍલર્ટ

મુંબઈ: આગ્રાના તોફાની તત્ત્વો રામમંદિર પર હુમલો કરવાના હોવાની માહિતી મુંબઈ પોલીસને ફોન પર મળતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. આ બાબતે બધી યંત્રણાને અને આગ્રા પોલીસને પણ માહિતી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ
શનિવારની મધરાતે મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં યુવકે ફોન કરી હુમલાની માહિતી આપી હતી. ફોન કરનારા યુવકે પોતાની ઓળખ સોહમ પાંડે તરીકે આપી હતી. આગ્રામાં રહેતો સોહેલ કુરેશી નામનો શખસ રામમંદિર પર હુમલાનો યોજના બનાવી રહ્યો હોવાનું સાંભળવા મળ્યું છે, એવું પાંડેએ પોલીસને કહ્યું હતું.

પાંડેના દાવા મુજબ એક્સપ્રેસ ટ્રેનમાં આગ્રાથી મુંબઈ પ્રવાસ દરમિયાન આ માહિતી તેને મળી હતી. આશ્ર્ચર્યજનક બાબત એટલે ફોન કરનારા યુવકે કુરેશી અને આરપીએફના એક કર્મચારીનો મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યો હતો. ફોન પર મળેલી માહિતીને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button