નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી

મુંબઈ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બુધવાર, 17 સપ્ટેમ્બરે બપોરે 3.00 વાગ્યે સી.પી. ટેન્ક રોડ, 3જી પાંજરાપોળ ખાતે આવેલી એ કે મુનશી સ્કૂલ, દિવ્યાંગ બાળકો માટેની શાળાના વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને અને તેમને ભેટ આપીને ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

આ પ્રસંગે અતુલ શાહે પોતાના ભાષણમાં સૌ પ્રથમ આ શાળાના પ્રમુખ ભારતીબેન ગાંજાવાલા, આચાર્ય અજિત ચાંગન અને આ શાળાના શિક્ષણ સ્ટાફનો આભાર માન્યો અને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે મોદીજીએ બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને માટે દિવ્યાંગ જેવો સુંદર શબ્દ આપ્યો હતો. ઉપરાંત, દક્ષિણ મુંબઈના પ્રમુખ શલાકા સાળવીએ આ પ્રસંગે એ કે મુનશી સ્કૂલના દિવ્યાંગ બાળકોની પ્રશંસા કરી અને ત્યારબાદ, મોદીજીના જન્મદિવસની કેક કાપવામાં આવી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button