આમચી મુંબઈ

મહારાષ્ટ્રના લોકોને નિરાશાનો સામનો નહીં કરવો પડે: પંકજા મુંડે

મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેએ દશેરા નિમિત્તે ભગવાન ગઢ પર દશેરા રેલી નિમિત્તે પોતાની વાત કહેતા કહ્યું હતું કે જેઓને પદ, પ્રતિષ્ઠા અને માન મળે છે તેઓનું બધુ સારું છે, પણ દર વખતે તમે આશા રાખીને બેસો છો અને દર વખતે તમારી આશા પર પાણી ફેરવાઇ જાય છે. હવે મહારાષ્ટ્રના લોકોને લાંબા સમય સુધી નિરાશાનો સામનો નહીં કરવો પડે.

હવે મેદાનમાં ઊતરીશું, મહારાષ્ટ્રનો જૂનો વારસો મેળવવામાં અડચણ બનતા લોકોને દૂર કરીશું. હવે ફક્ત સમાજની સેવા કરનારા લોકોને સમર્પિત નેતૃત્વ ઘડવા માટે પ્રયત્ન કરાશે. મને કંઇ મળે ન મળે, પરંતુ આગામી પેઢીને રાહત આપવા કામ કરીશું, એમ મુંંડેએ કહ્યું હતું.

પંકજા મુંડેએ કહ્યું હતું કે તમે જીતવા માટે કંઇ પણ કરી શકો છો, પણ આ જીત મેળવવા માટે પોતાની નિષ્ઠા ગિરવે ન મૂકાય. હું મારો અને તમારો સન્માન ક્યારેય મરવા નહીં દઉ. તમને ન્યાય અપાવવા માટે ૨૦૨૪ સુધી મેદાનમાં છું અને તમારી ઇચ્છા હોય તો ત્યાંથી પણ મને કોઇ દૂર કરી શકશે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ